Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

કામથી પાછા ફરતા સમયે બાઈક સવારે વિધવા મહિલાને મદદ આપવાના બહાને ગુજાર્યો બળાત્કાર

હાલમાં આપણે જાણીએ છીએ કે, નાની નાની બાળકીઓ પર પણ બળાત્કાર થતા હોય છે. બળાત્કાર એ એક રમત જ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન યુપીમાંથી વધુ એક એવો કેસ સામે આવ્યો છે જેમાં વિધવા મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. આ મહિલા જ્યારે સાંજે ખેતરમાંથી ઘરે પછી આવતી હતી ત્યારે આ ઘટના બની હતી.

આ ઘટનામાં એક બાઇક સવાર તેને ઘરે મૂકવા માટે મદદ આપી હતી. આ મદદ આપવાની લાલચમાં બાઇક સવાર કોઈ એકાંત સ્થળે લઈ ગયો હતો અને બળાત્કાર કર્યો હતો.યુપીના મહોબા જિલ્લાના કાબરાઈ ગામમાં એક ઘટના બનેલી છે. આ ગામના પોલીસ સ્ટેશન વિસ્તારની એક વિધવા મહિલાની આ વાત છે.

આ મહિલાના પતિનું આઠ વર્ષ પહેલાં બીમારીથી મોત થયું હતું. પતિના મોત પછી આ મહિલા તેની બે પુત્રી અને એક દીકરાને પોષવા માટે ખેતી કરતી હતી. બુધવારે મોડી સાંજે આ વિધવા મહિલા ખેતરમાંથી લણણી કરી ઘરે પાછી આવી રહી હતી આ સમયે ત્યાંથી એક બાઇક સવાર નીકળે છે.

બાઇક સવાર આ વિધવા મહિલાને ઘરે મૂકી જવાના બહાને સૂમસામ જગ્યાએ લઈ જઈને વિધવા મહિલા પર બળાત્કાર કર્યો હતો. આ વિધવા મહિલા સાંજે પડી ગઈ હોવા છતાં ઘરે પાછી આવી નહોતી. આથી તેના સગાસંબંધીઓ એ મહિલાની શોધખોળ ચાલુ કરી હતી. પરિવારને આ વિધવા મહિલાને સૂમસામ ખેતરમાંથી શરમજનક હાલતમાં મળી આવી હતી.

આ સમયે બળાત્કાર કરનાર આરોપી પણ આ જગ્યાએ હાજર હતો. મહિલાએ તેના પરિવારના લોકોને આ ઘટના કીધી. આ પછી પરિવારના સભ્યોએ આરોપીને પકડ્યો અને પોલીસને હવાલે કર્યો હતો. આ મહિલાના આરોપનો કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા પછી આરોપીના પરિવારજનો મોડીરાતે આ મહિલાના ઘરે આવ્યા હતા.

આરોપીના પરિવારજનોએ પીડિત મહિલા ના પરિવાર સાથે મારપીટ કરી ને તેમના પર થયેલો આરોપનો કેસ પાછો ખેંચી લેવાની આ મહિલાને ધમકી આપી હતી. કાબરાઈ પોલીસ સ્ટેશનના અધિકારી દિનેશસિંહે જણાવ્યું હતું કે આ મહિલા પર બળાત્કાર ઉપરાંત મારપીટનો પણ આરોપી વિરુદ્ધનો કેસ કરવામાં આવ્યો છે.

આ ઘટનામાં શામિલ બંને આરોપીની શોધ ચાલુ કરવામાં આવી છે. થોડા જ સમયમાં આ બંને આરોપીને ધરપકડ કરી જેલ મોકલવામાં આવશે.

[quads id=1]

Related Articles

Back to top button