Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબ

ભારતીય સેના રિટાયાર્ડ આર્મી ડોગ સાથે શું કરવામાં આવે છે? જાણીને નહીં કરી શકો વિશ્વાસ….

ભારતીય સેના સાથે જોડાયેલા ઘણા નિયમો એવા છે, જેના વિશે સામાન્ય નાગરિકો વધારે પ્રમાણમાં જાણતા નથી. સેનાના પોતાના સિદ્ધાંતો અને અનિવાર્યતાઓ છે, જેના કારણે તેઓ સૈન્યના આંતરિક પાસાઓને જાહેર કરતા નથી. સ્પેશિયલ ટ્રેનિંગ મેળવેલ કુતરાઓ સેના ને ખૂબ મદદ રૂપ થાય છે.

આ સ્પેશિયલ કુતરાઓ માટે એક નિયમ એવો છે કે જ્યારે કોઈ સ્નિફર કૂતરો નિવૃત્ત થાય છે, ત્યારે સેના દ્વારા તેને મોતને ઘાટ ઉતારી દેવો પડે છે. આ સાંભળવામાં થોડુંક નિર્દયી લાગી શકે છે પરંતુ આમ કરવા પાછળનું પણ એક કારણ છે. જેના વિશે આજે અમે તમને વિગતે જણાવવા જઈ રહ્યા છીએ.

મનુષ્ય એકવાર દગો કરી શકે છે પણ કૂતરાઓ નહીં. આ વાત ખૂબ પ્રચલિત છે કે કૂતરાઓ સૌથી વફાદાર પ્રાણીઓ માં આવે  છે. સેના દ્વારા અમુક ખાસ નસલ ના કુતરાઓ ને સ્પેશિયલ તાલીમ આપવામાં આવે છે. આ રીતે સેનામાં જોડાનારા ડોગ્સને ‘સ્નિફર ડોગ’ કહેવામાં આવે છે. સેના વર્ષે માંથી નિવૃત્ત થયા પછી આ  ટ્રેઈન કૂતરા ને મારી નાખવામાં આવે છે. આરટીઆઈના એક પ્રશ્નમાં ભારતીય સેનાએ આનો જવાબ આપ્યો છે.

આમ કરવાનું કારણ શું છે તે જોઈએ. 

આ કરવાનું મુખ્ય કારણ સુરક્ષા નો દ્રષ્ટિ કોણ છે . ભારતીય સેનાએ વધુ માં જણાવ્યું છે કે તેઓ કૂતરાઓ ટ્રેઈન કરે છે. તેઓ લગભગ 8 થી 10 વર્ષો સુધી દેશની સેવા કરે છે. જોકે સલામતી માંથી નિવૃત્ત થયા પછી તેમની હત્યા કરવામાં આવે છે. કારણ કે તેમની પાસે આર્મીના કેમ્પસ, ઠેકાણા અને પાયા વિશેની માહિતી હોય છે.

જો તે કૂતરો કોઈ ખોટા માણસના હાથમાં જાય તો તે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. નિવૃત્ત થતાં આ કૂતરાઓને મારી નાખવામાં આવે છે, જેથી દેશ અને સૈન્ય સંબંધિત કોઈ માહિતી લીક થઈ શકે નહીં.સેનાએ એમ પણ કહ્યું છે કે જો આ કુતરાઓ બીમાર થઈ જાય અને 1 મહિનામાં સ્વસ્થ ન થાય તો સેનાના લોકો તેને મારી નાખે છે.

કારણ કે સેના ઇચ્છતી નથી કે જેણે દેશ માટે તેમની સેવા કરી છે તે પાછળથી પીડા ભોગવે. આ સ્નિફર કૂતરાને નિવૃત્ત થાય અથવા બીમાર ન થાય ત્યાં સુધી જીવંત રાખવામાં આવે છે. આ કૂતરાઓની સેવા પાછળનો ખર્ચો પણ ખૂબ મોંઘો છે.

હવે તમે સમજી ગયા હશો કે સેના સલામતી માટે આ કુતરાઓને મારી નાખે છે. જ્યારે પણ સ્નિફર કૂતરો માર્યો જાય છે, ત્યારે તેને બંદૂકની સલામી આપવામાં આવે છે અને સૈનિકની જેમ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. હાલમાં ભારતીય સેનામાં લગભગ 1200 પ્રશિક્ષિત સ્નિફર ડોગ છે.

આ મુખ્યત્વે વિદેશી જાતિના જર્મન શેફર્ડ, લેબ્રાડોર, બેલ્જિયન શેફર્ડ અને ગ્રેટ સ્વિસ માઉન્ટેન ડોગ છે, જે હવે સેના મુધોલ હાઉંડ તરીકે ઓળખાતા દેશી કૂતરાની જાતિ ઉપરાંત રિમાઉન્ટ અને વેટરનરી કોર્પ્સ (આરવીસી) દ્વારા પ્રશિક્ષિત છે.

તમને જણાવી દઈએ કે સૌથી વધુ આર્મી કૂતરા જર્મન શેફર્ડ અને લેબ્રાડોર જાતિના હોય છે, કારણ કે તેઓ કોઈપણ સ્થિતિમાં ખૂબ જ સરળતાથી અને ઝડપથી કંઈપણ શીખે છે. જો કે, ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે પ્રાણી કાર્યકરો સેના દ્વારા કૂતરાઓને મારવાના પગલાનો વિરોધ કરી રહ્યા છે. સૈન્ય તેમને દેશની સુરક્ષા માટે મારે છે અને તેને દેશ માટે જરૂરી માને છે. આવું ફક્ત ભારતમાં જ થતું નથી પરંતુ તે દરેક દેશના ટ્રેન્ડ ડોગ્સ સાથે થાય છે.

[quads id=1]

Related Articles

Back to top button