Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

સેના અને આતંકીઓ વચ્ચે થયેલા ટકરાવ માં બે આતંકવાદીઓ માર્યા ગયા, આપણાં એક જવાન થયા શહીદ થયા.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓની હજુ ઓળખ થઈ નથી. એન્કાઉન્ટર પછી આ વિસ્તારને બંધ કરીને પોલીસ દ્વારા બધી પૂછપરછ ચાલુ કરવામાં આવી હતી. આતંકવાદીઓ પાસેથી એકે અમેરિકન એમ-4 અને એકે 47 મળી આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસો આતંકવાદીઓને ખતમ કરવા માટે એક ઝુંબેશ ચલાવી રહ્યા છે, તેમની આતંકવાદીઓ ના એન્કાઉન્ટર થઈ રહ્યા છે. શનિવારે સાંજે શોપિયાંમાં સેનાના જવાનો એ આંતકિયો નું એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં, સૈન્ય દ્વારા બે આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન એક જવાન શહીદ થયાના સમાચાર પણ છે.

આતંકવાદીઓ પાસેથી રહેવા માટેની વસ્તુઓ અને ખાવા માટેની વસ્તુઓ પણ મળી આવી છે. હજુ પણ પૂછપરછ ચાલુ છે.મહત્વની વાત એ છે કે શોપિયન જિલ્લામાં આ અઠવાડિયાની શરૂઆતમાં જ આતંકીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. શોપિયાં જિલ્લાના મણીહાલ વિસ્તારમાં તે મુકાબલામાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.

કહેવાય છે કે આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતીના આધારે પોલીસ અને સૈન્ય જૂથોની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.બચવા માટે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેના જવાબમાં સશસ્ત્ર જૂથો એ પણ જવાબી કાર્યવાહી કરી. સૈન્યના જવાબી કાર્યવાહીમાં ચારેય આતંકવાદીઓ માર્યા ગયા હતા.

[quads id=1]

Related Articles

Back to top button