Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિકસમાચાર

અમદાવાદ ખાતે બનશે 1000 કરોડના ખર્ચે દુનિયાનું સૌથી મોટું ઉમિયા માતાજી મંદિર, પાટીદાર સમાજ માટે ગૌરવની વાત…

અમદાવાદમાં વૈષ્ણવ દેવી સર્કલ પાસે એસ.જી. હાઇવે પર 100 વિઘામાં 1000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિર બનવા જઈ રહ્યું છે. જેની સમગ્ર જવાબદારી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હસ્તગત છે. આ ઉમિયા ધામ એક પાટીદાર સમાજ માટે આસ્થાનું પ્રતીક બનશે. જેને લઇને હાલમાં પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ છે. આ માં ઉમિયા મંદિરનો શિલાન્યાસ 28-29 ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

એસ. જી. હાઇવે પર આવેલા આ મંદિરનું સમગ્ર સંચાલન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મંદિર 1000 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જે દુનિયાના સૌથી મોટા મંદિર તરીકે નામના મેળવશે.

આ મંદિર આશરે 100 વીઘા જમીનમાં તૈયાર કરવામાં આવશે. જેમાં બધી જ સુવિધાઓ અત્યાધુનિક રહેશે. આ સિવાય આવું એક પણ મંદિર પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતું નથી, જેના લીધે આ મંદિર દુનિયાનું સૌથી મોટું મંદિર ગણાશે.

28 તથા 29 ફેબ્રુઆરી 2020ના દિવસે આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં 3 લાખ ભક્તો આવ્યા હતા. આ સિવાય દિગ્ગજ નેતાઓ, રાજકારણીઓ, મહંતો, સંતો વગેરે આવ્યા હતા. આ વિશેષ પ્રસંગે મહંત સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button