Categories: સમાચાર

વકીલ ને પોતાની ફી ન મળતા કર્યું આવું કામ, સુપ્રીમકોર્ટ માં કેસ લડી જામીન અપાવ્યા હતા.

મુંબઈના એક ઉદ્યોગપતિ કે જેનું નામ નવનાથ ગોલે બતવામાં આવી રહ્યું છે એ એક શિપિંગ કંપનીના માલિક છે. તેના પર છેતરપિંડી ના કેસ ને  લઈ ને સુપ્રીમ કોર્ટ માં કેસ થયો હતો. એક વકીલે તેમને સુપ્રીમ કોર્ટ માંથી છેતરપિંડીના કેસમાં જામીન અપાવ્યા હતા અને તે કેસ લડ્યા ની ફી તેમને ઉધ્યોગપતિ પાસેથી લેવાની હતી.

પરંતુ ઉદ્યોગપતિએ તેના વકીલને ફી ચૂકવી ન હતી. વકીલે ફી ન ભરવા બદલ ઉધ્યોગપતિનું અપહરણ કર્યું હતું અને પછી તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. ક્લાયંટને વકીલને 3 કરોડ ચૂકવવાના હતા. 45 વર્ષિય આ વકીલે વારંવાર તેના ક્લાયંટને ફી માટે 3 કરોડ ચૂકવવા કહ્યું. પરંતુ ક્લાયન્ટે આ ન કર્યું અને તે પછી વકીલે તેના ક્લાયંટનું અપહરણ કરી નાસિકના ફાર્મહાઉસમાં લઈ ગયો અને તેની પર અત્યાચાર ગુજાર્યો.

વકીલે 2 એપ્રિલે અપહરણ કર્યું હતું. એટલું જ નહીં, વકીલ એ ક્લાઈન્ટ પર એવું પણ દબાણ કર્યું હતું કે તેઓ તેમના નામની મિલકત વકીલ ના નામે કરી દે. નવી મુંબઈની ખારગર પોલીસે ગુનો નોંધી આ કેસમાં વકીલની ધરપકડ કરી હતી. 

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago