Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
બોલિવૂડ

ઉર્વશી એ શેર કરી કાદવ થી લથબથ તસવીર, જાણો શું છે આવું કરવા પાછળ નું કારણ

દરેક વ્યક્તિને મૂવી સ્ટારની જેમ સુંદર ત્વચા જોઈએ છે. આવી સ્થિતિમાં જો આપણે ઉર્વશી રૌતેલાની વાત કરીએ તો દરેક જણ તેની સુંદરતા અંગે વખાણ કરે છે. દરેક વ્યક્તિ તેની પાસેથી સુંદરતા ટીપ્સ મેળવવા માંગે છે. તે જ સમયે, ઉર્વશી તેની સુંદરતા જાળવવા માટે વિવિધ પ્રયત્નો કરતી રહે છે. તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે આખા શરીરમાં કાદવ લગાવતી નજરે પડે છે. કેપ્શન માં ઉર્વશી એ જણાવ્યું કે તે કાદવ સ્નાન કરી રહી છે. જો તમે પણ માટી સ્નાન(મડ થેરેપી) કરવા માંગતા હો, તો જાણો તેના ફાયદા.

મડ થેરેપીના ફાયદા: માટી ઉપચાર તમને ત્વચાની સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદગાર છે. તમે દરરોજ સાબુને બદલે માટીનો ઉપયોગ કરી શકો છો. માટીનો ઉપયોગ તમને તાજું, આકર્ષક અને આરામદાયક લાગે છે. મડ થેરેપીનો ઉપયોગ શરીરને ઠંડુ કરવા માટે થાય છે. ચામડી પરથી અશુધ્ધિ દૂર કરીને શરીરને શુદ્ધ કરવામાં મદદ કરે છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમે શુધ્ધ માંથી ની ઈટ બનાવી ને પેટ પર લગાવી શકો છો. પેટ પર માટી લગાવવાથી તમે અપચો અને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

Pic: urvashirautela Instagram
Pic: urvashirautela Instagram

શુષ્ક ત્વચા અને સ્નાયુઓના દુખાવાથી પીડિત લોકો મડ થેરેપી કરે છે. તે સુંદરતાને વધારવાની સાથે-સાથે તે વૃદ્ધત્વ ઘટાડવાનું પણ કાર્ય કરે છે. તાવથી રાહત મળે તે માટે પેટની સાથે કપાળ પર મડ પેક લગાવી શકાય છે. માટીમાં બળતરા વિરોધી ગુણધર્મો છે.

મડ થેરેપી કેવી રીતે બનાવવી: બાઉલમાં થોડી શુધ્ધ એકદમ જીણી ચાળેલી માટી લો અને તેમાં પાણી મિક્સ કરી આ પેકને ચહેરા પર 15-20 મિનિટ માટે લગાવો. તમારે આ પ્રક્રિયા કરતાં પહેલા ડૉક્ટર ની સલાહ લેવી આવશ્યક છે.

[quads id=1]

Related Articles

Back to top button