મહારાષ્ટ્ર બાદ ગુજરાત માં પહેલી વાર દેખાઈ આવી આ અદભૂત વનસ્પતિ…
જૂનાગઢના ગિરનાર પરથી અનોખી માંસાહારી વનસ્પતિ મળી, ‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ મહારાષ્ટ્ર બાદ પહેલીવાર ગુજરાતમાં દેખાઈ
![](https://mediaassets-in.blr1.cdn.digitaloceanspaces.com/gujaratcoverage/2021/10/unique-carnivorous-plant-discovered-from-girnar-junagadh.jpg)
ગુજરાતના ગિરનારને વનસ્પતિનું હબ માનવામાં આવે છે. હાલ ના સમય માં ગિરનારમાંથી એક વનસ્પતિ મળી આવી છે. આ વનસ્પતિ આપણાં આખા દેશમાં ફક્ત મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. આ વનસ્પતિ વિશ્વભરમાં અન્ય કોઈપણ સ્થળે જોવા મળતી નથી. ગિરનાર માં મળેલ આ વનસ્પતિનું નામ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી છે.
આ નામ સાંભળી ને તમને નવાઈ લાગશે. પરંતુ આ વનસ્પતિ માંસાહારી છે. કારણકે આ વનસ્પતિ નો ખોરાક નાના જીવ-જંતુઓ છે. આ વનસ્પતિનું નામ જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઇફ સાયન્સીસ ભવન ના પ્રોફેસર સુહાસ વ્યાસ અને તેમની વિદ્યાર્થીઓની ટીમે “યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી” શોધી કાઢ્યું છે.
આ વનસ્પતિ દેખાવ માં સામાન્ય જ લાગે છે પરંતુ તેની વિશેષતા બીજી વનસ્પતિ થી ખુબજ અલગ છે. કારણકે આ વનસ્પતિ માંસાહારી છે અને તેના મૂળ કોથળી જેવા હોય છે. ત્યાંથી તે સૂક્ષ્મ જીવ-જંતુઓ ને ચૂસી લે છે.
પ્રોફેસર સુહાસ વ્યાસે જણાવ્યું કે આ વનસ્પતિ ભારત માં અંદાજિત 100 વર્ષથી ફક્ત મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ત્યારબાદ આ વનસ્પતિ પહેલી વખત જુનાગઢ ના ગિરનારમાંથી મળી આવી છે. અને ત્યારબાદ તપાસ કરતાં તે વનસ્પતિ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી હોવાનું જાણવા મળ્યું છે.
આ વનસ્પતિની 4 અલગ અલગ જાતી જોવા મળી છે. ગિરનાર પર હજુ આવી અનેક પ્રકાર ની વનસ્પતિ હોવાની શક્યતા છે. આ વનસ્પતિની વિશેષતા એ છે કે તે એક થી દોઢ હાથવેત જેટલી લાંબી છે. અને તેને ફ્લાવરિંગ પરથી ઓળખી શકાઈ છે.
લાઈફ સાયન્સીસ ભવન ની ટીમે આ વનસ્પતિની શોધ માટે ગિરનાર ખૂંધ્યો હતો. તેમજ પ્રોફેસર અને તેના વિદ્યાર્થી ડીપાર્ટમેન્ટ માં કમલેશ ગઢવી,સંદીપ ગામિત, દુષ્યંત દૂધાગરા અને રશ્મિ યાદવ સહિત આ લોકો ની મુખ્ય ભૂમિકા રહી છે. આ ટીમે ખારપાટ વિસ્તારમાં થતી વનસ્પતિ અને તેની વિશેષતા પર શોધ કરી હતી. અને આ ટીમ હાલ ગિરનાર પર હજુ શોધ કરી રહી છે.