ગુજરાત

વડોદરા નવલખી ગેંગરેપનો આવ્યો ચુકાદો, ગુનેગારોને ફટકારવામાં આ સજા

વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં સગીર બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચરનાર આરોપીઓને લઈને મોટી જાણકારી સામે આવી છે. કોર્ટ દ્વારા સગીર બાળકી પર દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે. કોર્ટે દ્વારા 14 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ આચરનાર કિશન માથાસુરીયા અને જશા સોલંકીને સજા ફટકારવામાં આવી છે.

નોંધનીય છે કે, નવેમ્બર 2019 માં આ દુષ્કર્મની ઘટના ઘટી હતી. જેનો 26 મહિના બાદ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ કોર્ટમાં આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી. તેમ છતાં કોર્ટ દ્વારા અરજીને સ્વીકારવામાં આવી નહોતી પોતાનો નિર્ણય જાળવી રાખ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ પોક્સો કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા આરોપીઓને હાજર કરવામાં આવ્યા અને જજ આર.ટી. પંચાલે તેમને દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જજ દ્વારા વર્ચ્યુઅલ પદ્ધતિથી સુનાવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ચુકાદો કરવામાં આવ્યો હતો. જેમાં બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદ પક્ષ દ્વારા ફાંસીની માંગ કરવામાં આવી હતી પરંતુ પીડિતા જીવિત હોવાના કારણે કોર્ટ દ્વારા આ માગણી સ્વીકાર કરવામાં આવ્યો નહોતો.

આ ઘટનાની વાત કરવામાં આવે તો 28 નવેમ્બર 2019 ના રોજ 14 વર્ષની છોકરી તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠેલી હતી. તે દરમિયાન કિશન માથાસુરીયા અને જશો સોલંકી નામના વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યા હતા અને સગીરાના મંગેતરને તે બંનેએ ધમકાવીને ભગાડી દીધો હતો. ત્યાર બાદ સગીરાને ઝાડીમાં લઈને દુષ્કર્મ આચર્યું હતું. આ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા બાદ પોલીસ દ્વરા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ કેસમાં ૨૬ મહિના બાદ ગુનેગારો સજા ફટકારવામાં આવી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago