ગુજરાત

તલાટી કમ મંત્રીની ભરતીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષાની લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં સરકાર દ્વારા આ પરીક્ષાને લઈને ફોર્મ ભરવાની પ્રકિયા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન પસંદગી મંડળે ઉમેદવારોની માંગને જોતા ઓનલાઇન અરજી કરવાની તારીખ લંબાવવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ ઓનલાઇન અરજી કરવાની તારીખ 15 ફેબ્રુઆરી હતી, પરંતુ હવે વિદ્યાર્થીઓ માટે તારીખ લંબાવતા તેને 17 ફેબ્રુઆરી સુધીની કરી દેવામાં આવી છે.

ગુજરાત મંડળ મુજબ ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 28 જાન્યુઆરીના કરવામાં આવી હતી. અને તેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રહેલી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસોથી વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. તેને જોતા જોતા ઓનલાઇન અરજીની તારીખ લંબાવીને તેને 17 ફેબ્રુઆરીની કરી દેવાઈ છે. જ્યારે જે વિદ્યાર્થીને પોસ્ટ ઓફિસના માધ્યમથી દ્વારા ફી ભરવાની છે તેની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી કરી દેવાઈ છે.

નોંધનીય છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવેલ છે. આ પરિક્ષા માટે લાખો ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવી છે. ઉમેદવારો પરીક્ષા માટે OJAS એપ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ત્યારબાદ જે લોકોને ફ્રી ભરવાની હોય તે ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસ દ્વારા જઈને ફી ભરી શકશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago