રમત ગમત

ભારત-શ્રીલંકાની વચ્ચે થનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ટીમમાં આ બે સ્ટાર ખેલાડીની કરવામાં આવી બાદબાકી

ભારત-શ્રીલંકાની વચ્ચે થનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે રોહિત શર્માને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. રોહિત શર્મા હવે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતા જોવા મળશે.

આ બાબતમાં ચેતન શર્મા દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે શ્રીલંકા વિરુદ્ધ થનારી ટી20 સીરિઝ માટે વિરાટ કોહલી, ઋષભ પંત અને શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવેલ છે. શાર્દુલ ઠાકુરને ટેસ્ટમાંથી પણ આરામ આપવામાં આવ્યો છે.

તેની સાથે આ ટીમમાં ટેસ્ટ ટીમમાં બે સીનિયર ખેલાડીઓ પડતા મુકવામાં આવ્યો છે. જયારે આ ટેસ્ટ સીરીઝમાં ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવેલ છે. ચીફ સિલેક્ટર ચેતન શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ બન્ને ખેલાડીઓને આ સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યા નથી, તેમણે ઘરેલૂ ક્રિકેટ રમવાની છૂટ અપાઈ છે. તેની સાથે આ બે ખેલાડી સતત ટેસ્ટ મેચમાં ફ્લોપ થઈ રહ્યા હતા.

ભારતીય ટેસ્ટ ટીમ આ પ્રકાર છે : રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન (ફિટનેસ પર નિર્ભર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago