Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સુરત

સુરતમાં CAની વિદ્યાર્થિની ગુમ, રત્નકલાકાર પિતા પર 10 લાખ રૂપિયાની ખંડણીનો આવ્યો ફોન….

સુરતના રત્નાકલાકારની દીકરી ઘરેથી મિત્રને ત્યાં બુક લેવા ગઈ પરંતુ ઘણો સમય થતાં પરત નહિ આવતા પરિવાર ચિંતિત થઈ ગયો, થોડાક સમય પછી દીકરીના પિતા પર ફોન આવ્યો કે જો તમારી દીકરી સહી સલામત જોઈએ તો 10 લાખ રૂપિયા આપીને લઈ જાવ આટલી જ વાત પોલીસને કરતાં વધુ તપાસ હાથ ધરીને અપહરણનો ગુનો દાખલ કર્યો છે. પરંતુ આ બાબતમાં દીકરીના પ્રેમીની શોધખોળ કરતાં પોલીસને તેના ઘરેથી તે પણ ઘરે ફોન મૂકી ગાયબ થઈ ગયો છે આ કેસ આવ્યા પછી વરાછા પોલીસ પણ આવા કેસ જોઈને નવાઈ પામી છે.

મળતી માહિતી મુજબ વરાછા પોલીસ જણાવ્યું કે કિરણભાઈ નામ બદલ્યું છે જે એક રત્નાકલાકાર છે હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની દીકરી 20 વર્ષની જે અહી જ આવેલ ક્લાસમાં સીએનો અભ્યાસ કરે છે. બુધવારે દીકરી સાંજે મિત્રને ત્યાં બુક લેવા જાવ છું એમ કહી ગઈ પછી આવી નહિ અને તેની ગુમ થયાની રિપોર્ટ નોંધ કરી છે.

પરંતુ પરિવાર જ્યારે દીકરીની શોધ ખોળ કરતાં હતા ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવતા અને સાથે 10 લાખની માંગ કરતાં પરિવાર અંચબીત થઈ ગયો હતો જો દીકરી જોઈતી હોય તો 10 લાખ આપો નહિતર આમ 3 વાર અલગ અલગ નંબર પરથી ફોન આવતા પરિવારએ પોલીસને જાણ કરી હતી.

વરાછાના પીઆઈ પીએ આર્યએ જણાવ્યું હતું કે અમે અપહરણ-ખંડણીની ગુનો દાખલ કરી દીધો છે અને  અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી છે જેમાં યુવતીને  સીસીટીવી કેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે. યુવતીનો કાપોદ્રામાં રહેતા યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ છે.

યુવતી સાથે તે યુવક  પણ ઘરેથી તે દિવસથી ગાયબ છે પોલીસને શંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને પકડાઈ નહી  તે માટે બંને જણા પોત પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મુકીને ગયા જેથી કોઈ એમણે શોધી ન શકે આ ઘટનામાં પોલીસ હજી પોતાની તપાસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યું અનુસાર યુવતીના પ્રેમની વાત તેના પરિવારે પોલીસથી છુપાવી હતી પરંતુ બે  દિવસ પહેલા જ  યુવતિના ફોનમાં પિતાએ ફોટા જોઈ લીધા હતા અને બુધવારની રાતે તે પણ ઘરેથી ગાયબ હોવાથી બંને જણા સાથે જ ભાગી ગયા છે એ વાતની પૂછપરછ ચાલુ છે.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે મોબાઈલ ફોર્મેટ મારતા તે જાતે ગઈ હોઈ શકે. ઘરેથી સવા છ વાગે  ગયાના માત્ર 54 મિનિટ પર અપહરણકર્તાનો ફોન આવી જતાં  આ બધી બાબતોથી શંકા થાય છે કે જાતે જ ગઈ છે કે તેની સાથે બીજા પણ હશે અને  તેના મિત્રોની પણ તપાસ ચાલુ છે.

[quads id=1]

Related Articles

Back to top button