Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સ્વાસ્થ્ય

પ્લાસ્ટિક નહીં પંરતુ આ ખાસ વસ્તુથી બને છે ટેબ્લેટ (કેપ્સ્યુલ) ના બહારનો ભાગ, જાણીને તમે પણ લેતા પહેલા સો વખત વિચારશો!!

જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે ડોકટર પાસે જતા હોઈએ છીએ. આપણી બીમારીનો ઇલાજ કરવા માટે ડોકટરો આપણને કેટલીક દવાઓ ખાવાનું કહે છે અને આ દવાઓ ખાવાથી આપણે સ્વસ્થ પણ થઈ જઈએ છીએ. તે જ સમયે, બદલાતી જીવનશૈલીથી થતા રોગોની સારવાર માટે હવે લોકોનું જીવન દવાઓ પર આધારિત થઇ ગયું છે, પંરતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે દવાઓ ખાઈએ છીએ, તે કઈ વસ્તુઓમાંથી બને છે. આપણે બધાએ જીવનમાં ક્યારેક તો દવા સ્વરૂપે કેપ્સ્યુલ્સ ખાધી જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેપ્સ્યુલના ઉપરનો ભાગ કંઈ વસ્તુથી બનાવવામાં આવે છે? જો ના, તો આજના આ લેખમાં અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જ્યારે તમે સામાન્ય રીતે તે ટેબલેટને સ્પર્શ કરો છો ત્યારે તેનો બહારનો ભાગ પ્લાસ્ટિક જેવો લાગે છે પંરતુ તમને જણાવી દઈએ કે તે પ્લાસ્ટિક હોતું નથી. ખરેખર તે પ્લાસ્ટિક જેવા જીલેટીનથી બનેલું હોય છે. હવે તમે પૂછશો થશો કે આ જિલેટીન શું છે? તો તમને જણાવી દઈએ કે જિલેટીન એ પ્રાણીનું ઉત્પાદન છે. તે પ્રાણીઓમાંથી બનાવવામાં આવે છે. જીલેટીન એ એક તંતુમય પદાર્થ છે, જે પ્રાણીઓના હાડકાં અથવા ત્વચાને ઉકાળીને કાઢવામાં આવે છે. ત્યારબાદ કેટલીક પ્રક્રિયા કરીને તેને ચમકદાર અને લવચીક બનાવવામાં આવે છે. આ સિવાય જિલેટીનનો બીજો ઉપયોગ જેલી બનાવવા માટે પણ છે.

તમે કેપ્સ્યુલના પેકેટ અથવા બોક્સ પરની દવાઓની સામગ્રીથી વાકેફ હશો. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં કંપનીઓ તમને કહેતી નથી કે કેપ્સ્યુલ કવર જિલેટીનથી બનેલું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હાલમાં 98% ફાર્માસ્યુટિકલ કંપનીઓ પશુ ઉત્પાદનોમાંથી બનેલા જિલેટીન કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરી રહી છે. જે સ્પષ્ટપણે બતાવે છે કે આવું કરવાથી શાકાહારી લોકોની ધાર્મિક ભાવનાઓને નુકસાન થાય છે. તમને જણાવી દઈએ કે આ સંબંધમાં મેનકા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે જિલેટીન કેપ્સ્યુલ્સનો ઉપયોગ દેશના લાખો શાકાહારીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યો છે.

દેશના મોટાભાગના લોકોના ધ્યાનમાં આ વાત આવી જ્યારે આરોગ્ય મંત્રાલયે “જિલેટીનથી બનેલા કેપ્સ્યુલ્સને બદલે છોડમાંથી બનાવવામાં આવતા કેપ્સ્યુલ્સ” માટે નિષ્ણાંતોની સમિતિની રચના કરી. આ સમિતિની રચના માર્ચ 2017 માં કરવામાં આવી હતી. કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મેનકા ગાંધીએ આરોગ્ય મંત્રાલયને “જિલેટીન કેપ્સ્યુલ્સ” ને બદલે પ્લાન્ટ કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરવા સૂચન કર્યા બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી.

આ મામલે અવાજ ઉઠાવતા મેનકા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ઘણા લોકો આનુવંશિક દવાઓનું સેવન ફક્ત એટલા માટે કરતા નથી કે કેપ્સ્યુલનો ઉપરનો ભાગ પ્રાણીની હાડકાંથી બનેલી હોય છે. મેનકા ગાંધીએ આરોગ્ય મંત્રાલયને એક પત્ર લખ્યો હતો કે જેમાં જિલેટીનને બદલે પ્લાન્ટ (છોડ) અથવા તેમાંથી નીકળતા રસમાંથી કેપ્સ્યુલ કવર તૈયાર કરવા જોઈએ. આને સેલ્યુલોઝ કહેવામાં આવે છે. જૈન ધર્મના અનુયાયીઓએ પણ આ અંગે આરોગ્ય પ્રધાન જે.પી.નડ્ડાની સામે વાત કરી હતી.

[quads id=1]

Related Articles

Back to top button