ગુજરાત

મારે ધંધો શરૂ કરવો છે, પીયરમાંથી ત્રણ લાખ લાવ, રાજકોટમાં પરિણીતા ઉપર અત્યાચારનો વધુ એક કેસ

રાજકોટ શહેરમાં વધુ એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી તેમનું ઘર છોડ્યું છે. તો સાથે જ સમાધાન ન થતાં પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. રાજકોટ શહેરમાં માવતર રહેતી પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં આઈપીસીની કલમ 323, 504, 498 (ક) તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પરણીતાએ મહિલા પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ના લગ્ન અમદાવાદ ખાતે રહેતા જતીનભાઈ પટવા નામના વ્યક્તિ સાથે વર્ષ 2008 માં થયા હતા. લગ્ન જીવન શરૂ થયાને એક વર્ષ સુધી બધું ખૂબ સારી રીતે ચાલ્યું હતું. પરંતુ લગ્નજીવનને એક વર્ષ વિત્યા બાદ સ્ત્રીઓમાં શારીરિક-માનસિક ત્રાસ આપવાનું તેમજ પિયરીયાથી પૈસા લાવવાનું કહી ટોર્ચર આપવામાં આવતું હતું.

પરિણીતાએ જણાવ્યું હતું કે ‘લગ્નના એક વર્ષ વિત્યા બાદ મારા પતિ કોઇપણ જાતનો ઘરખર્ચ આપતા નહીં. સાસરીયા પક્ષ માં હું મારા જેઠાણી નણંદ સાસુ સસરા સહિત સહકુટુંબ માં રહેતી હતી. હું બીમાર પડું ત્યારે મારા પતિ મારી સારવાર કરાવતા નહીં. તેમજ ભૂતકાળમાં મારા પતિએ મને કહ્યું હતું કે મારે ધંધો શરૂ કરવો છે તારા માવતર થી ત્રણ લાખ લઇ આવ સંતાનમાં હાલ મારે બાર વર્ષનો દીકરો છે તેને પણ મારા પતિ મારા પિયરિયામાં મારી પાસે મૂકી ગયા છે.

મારા પતિ પૈસાની તો માંગણી કરતા જ સાથોસાથ છૂટાછેડા આપી દેવાની પણ ધમકી આપતા હતા. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં સમાધાન કરવા માટે ની અરજી આપેલ હતી. પરંતુ કોઈપણ જાતનું સમાધાન ન નીકળતા આખરે મારે મારા પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે.’ ત્યારે આખરે પરિણીતાને ન્યાય મળે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago