ક્રાઇમ

મહિલા સાથે હૈવાનિયત: દુષ્કર્મ બાદ પણ ગંભીર રીતે મારવામાં આવ્યો માર

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 30 વર્ષીય મહિલા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. કથિત દુષ્કર્મ કેસમાં મુંબઈ પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે. મહિલા ગુરુવારે રાત્રે ખૈરાણી રોડ પર બેભાન હાલતમાં મળી આવી હતી. હાલમાં આ મહિલા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ આ મામલાની તપાસમાં જોડાયેલી છે.

આ ઘૃણાસ્પદ ગુનામાં પોલીસના હાથે ઝડપાયેલા વ્યક્તિનું નામ મોહન ચૌહાણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાના થોડા કલાકોમાં 45 વર્ષીય વ્યક્તિને પોલીસે પકડી લીધો હતો. પોલીસે કહ્યું કે કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે એક પુરુષ મહિલાને ઘણી ગંભીર રીતે મારતો હતો. આ પછી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અહીં મહિલા રસ્તા પર લોહીથી લથપથ પડી હતી. આ પછી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસનું કહેવું છે કે આ ક્રૂરતા મહિલાને રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોની અંદર કરવામાં આવી હતી. ઓટોની અંદર લોહીના છાંટા પણ મળી આવ્યા છે. તબીબોના મતે મહિલાની હાલત નાજુક છે.

પોલીસનું કહેવું છે કે આરોપી ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 307 (દુષ્કર્મનો પ્રયાસ) અને 376 (દુષ્કર્મ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago