વ્યવસાય

માત્ર આ એક ઉપાયથી જીવનભર લોન ને દેવાથી મળી જશે છુટકારો

દેવાથી વ્યક્તિ માનસિક રીતે નબળો પડી જાય છે. અને દેવા માંથી બાર નીકળવા નવા નવા રસ્તાઓ અપનાવે છે. દેવું વધે ત્યારે માણસ અસ્વસ્થ બની જાય છે. અને પછી તે કઈ કામ કરી શકતો નથી. અહી અમે તમને કેટલાક ધાર્મિક ઉપાય બતાવી રહ્યા છીએ જે  તમને પૈસા કમાવવામાં અને તમારા દેવાથી છૂટકારો મેળવવામાં મદદ મળશે.

દેવા માંથી  છુટકારો મેળવવા માટે તમે મસૂરદાળ નો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી સારો આર્થિક લાભ મળે છે અને દેવું સરળતાથી ચૂકવાઈ જાય છે.  દેવું ચૂકવવા માટે,મસૂરદાળનું દાન કરવું જોઈએ અને આ દાળ મંગળવારે હનુમાનજીને અર્પણ કરવી જોઈએ. મંગળવારે સ્નાન કરીને મંદિર જવું. ત્યારબાદ  હનુમાનજીની પૂજા કરવી  અને દાળ ચઢાવવી જોઈએ. આ ઉપાય સાંજે 6 વાગ્યા પછી કરવો. આમ કરવાથી તમારું બધું ઋણ પૂરું થઈ જશે.

ભગવાન ગણેશને વિઘ્નહર્તા માનવામાં આવે છે. તે તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.  તેથીજ દરેક શુભ કામ કરતાં પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.  દેવાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દરરોજ ગણપતિજીની પૂજા કરવી જોઈએ તેમજ ગણપતિજીની મૂર્તિ ઘરના મુખ્ય દ્વાર પર મુકવી જોઈએ. બુધવારે આ મૂર્તિઓની સ્થાપના કરવી.

આપણાં દેશમાં શ્રીકૃષ્ણના સમયથી ગયો ચરાવવાની પરંપરા છે. જો તમે દેવાના બોજામાં દબાયેલા છો તો તમારે દર બુધવારે ગાયોને ઘાસ ખવરાવવું જોઈએ.  આ ઉપાય ઓછામાં ઓછા પાંચ બુધવાર સુધી કરવો જોઈએ. આમ કરવાથી તમે દેવાથી મુક્તિ મેળવશો.

માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે.તેમની પૂજા-અર્ચના કરી પ્રસન્ન કરવાથી પૈસા સાથે જોડાયેલી દરેક આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.  તેથી શુક્રવારે શ્રી સૂક્તમનો પાઠ કરી લક્ષ્મીની પૂજા કરવી  અને તેમને કમળનું ફૂલ ચઢાવવું જોઈએ. આમ કરવાથી માત્ર દેવું જ દૂર નથી થતું પણ આર્થિક લાભ પણ મળે છે.

Team Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago