રમત ગમત

જલંધરમાં મેચ દરમિયાન કબડ્ડી પ્લેયરની ગોળી મારી કરવામાં આવી હત્યા

પંજાબના જલંધરમાં એક આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના જલંધરના માલિયા ગામમાં કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન બની હતી. આ ખેલાડીનું નામ સંદીપ સિંહ નાંગલ છે. બે ડઝનથી વધુ યુવકોએ ગોળીબાર કરીને સંદીપ સિંહ નાંગલની હત્યા કરી હતી.

જાણકારી મુજબ, આજે સાંજે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટૂર્નામેન્ટની એક મેચ દરમિયાન અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. ફાયરિંગમાં કબડ્ડી ટીમમાં ખેલાડી સંદીપ સિંહને ઘણી ગોળીઓ વાગી હતી.

આ જોઈને ચાહકોમાં નાસભાગ થઈ ગઈ હતી. ફાયરીંગ કરનારા બદમાશો સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યા હતા. ઘટનાસ્થળ પર હાજર લોકો સંદીપને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમ છતાં રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર અને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાં સ્થિતિ વધુ બગડતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર હાજર લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી અને આરોપીઓ સામે પુરાવા એકઠા કરવામાં લાગી ગઈ છે. આજુબાજુઆના વિસ્તારમાં નાકાબંધી કરી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, મૃતકની કોઈ સાથે અદાવત હતી કે કેમ. હાલ પોલીસ દ્વારા મૃતકના પરિજનો સાથે વાત કરીને હત્યાને લગતા તમામ પાસાઓની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago