દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાલ ચોક વિસ્તારમાં મોટો આતંકી હુમલો થયો છે. સોમવારે અહીં આતંકવાદીઓ દ્વારા ભાજપના નેતા અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ગુલામ રસૂલ ડાર કુલગામ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા. આ ઘટનાને લઈને ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આતંકવાદીઓ સોમવારના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાલ ચોકમાં કુલગામ કિસાન મોરચાના ભાજપના નેતા ગુલામ રસૂલ ડારના ભાડાના મકાનમાં ઘુસ્યા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ભાજપના નેતા ડાર અને તેની પત્ની જવાહિરા બંને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
તેમને જીએમસી અનંતનાગ લઈ જવામાં આવ્યા હતા. તેમ છતાં બંનેને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આતંકી હુમલાની જાણકારી મળતા પહોંચેલી પોલીસે સુરક્ષા દળો સાથે સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી લીધી હતી. તેની સાથે વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
કુલગામ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા ગુલામ રસૂલ ડાર: બીજી તરફ જમ્મુ કાશ્મીરના ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે કહ્યું છે કે, ગુલામ રસૂલ ડાર, કુલગામ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા. તેમણે કહ્યું છે કે, ગુલામ રસૂલ ડાર અને તેની પત્ની અનંતનાગમાં આતંકવાદીઓના હુમલામાં તેમનું મોત થઈ ગયું હતું.
બલિદાન વ્યર્થ નહીં જાય: જમ્મુના ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ હુમલાની નિંદા કરતા જણાવ્યું છે કે, પાકિસ્તાનના ડરપોક આતંકવાદીઓએ કુલગામમાં ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ગુલામ રસૂલ ડાર અને તેમની પત્નીની હત્યા કરી હતી. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેના હત્યારાઓને તેની સખત સજા મળશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…