Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

ગુજરાતના આ મંદિરમાં નથી કોઈ દાનપેટી, ઘણા વર્ષોથી ઓનલાઇન અર્પણ કરવામાં આવે છે ભેટ…

આપણા ભારત દેશમાં દરરોજ ઘણા લોકો મંદિરની મુલાકાત લે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. તેમના પાઠ પૂજા સમાપ્ત કર્યા પછી લોકો તેમની ભક્તિ મુજબ મંદિરમાં રાખેલી દાન પેટીમાં કેટલાક પૈસા મૂકતા હોય છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી સંપત્તિની યોગ્યતા અને શુદ્ધિકરણ થાય છે.

કેટલાક લોકો પોતાનું વ્રત પૂર્ણ થયા બાદ મંદિરમાં દાન અર્પણ કરે છે. તમે જોયું જ હશે કે દરેક મંદિરમાં એક દાન પેટી હોય છે પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં કોઈપણ જાતની દાન પેટી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા 1 વર્ષથી, આ મંદિરમાં દાન સંપૂર્ણપણે ઓનલાઇન આપવામાં આવે છે.

તમે સાંભળ્યું જ હશે કે બદલાતા સમયની સાથે માણસોએ પણ ફેરફાર કરવો જોઇએ પરંતુ બદલાતા સમયની સાથે ભગવાનના મંદિરમાં દાનપેટીનું ડિજિટાઇઝેશન પણ કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને પૂર્ણ કરતાં છેલ્લા એક વર્ષથી ગુજરાતના એક મંદિરને ઓનલાઇન દાન આપવામાં આવી રહ્યું છે.

ભરૂચ શહેરમાં આ અજોડ મંદિર આવેલું છે

ભરૂચ શહેરમાં સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડની નગરીમાં આ અનોખું મંદિર છે. આ મંદિરનું નામ જન વિકાસ મંદિર છે. તેનું સંચાલન કમ્યુનિટિ ડેવલપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જી.એન.એફ.સી.ના એડિશનલ જનરલ મેનેજર આર.સી.જોશીએ જણાવ્યું હતું કે, આ મંદિર લગભગ એક વર્ષ પહેલા કેશલેસ થયું હતું.

ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા દાન કરો

તમને જણાવી દઈએ કે જીએનએફસીની આખી ટાઉનશીપ કેશલેસ છે. જોધિ કહે છે કે જો ભક્તો અને મુલાકાતીઓ કોઈ ભેટ આપવા માંગતા હોય, તો તેઓ ભેટની રકમ પૂજારી પાસે ઉપલબ્ધ પીએસઓ મશીનની મદદથી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા મંદિરના બેંક ખાતાઓમાં જમા કરે છે. આ મંદિરમાં ડિજિટલને જોગવાઈ હોવાને લીધે આ મંદિર વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત થઈ રહ્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button