ગુજરાત

સિંગર ગીતાબેન રબારીએ નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ, જુઓ ઘરની અંદરનો નજારો

ગુજરાતની જાણીતી લોક ગાયિકા અને ‘કચ્છની કોયલ’ ગીતા બેન રબારીએ પોતાનું સપનાનું ઘર બનાવ્યું છે. પોતાના નવા ઘરના ફોટાઓ પોતાના સોશિયલ મીડિયા પર ગીતા રબારીએ પોસ્ટ શેર કરી છે. નવા ઘરની પૂજા કરતાં ગીતા રબારી તેના પતિ પૃથ્વી સાથે જોવા મળે છે.

ઘરને જુનવાણી રૂઢિ રિવાજ અને આધુનિક ઇન્ટિરિયર મુજબ ડિઝાઇન કર્યું છે. ગીતા બેન રબારીનું નવું ઘર ખૂબ જ મન મોહક લાગી રહ્યું છે. ઘરમાં પ્રવેશ કરતાં જ મંદિરમાં બિરાજેલ દ્વારકાધીશ અને લિંબોજ માતાજીની પૂજા અર્ચના કરી હતી.

1996માં જન્મેલ ગીત રબારીએ માત્ર 10 વર્ષની ઉમરથી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. કચ્છના તપ્પર ગામમાં જન્મેલી ગીતા બેન રબારીના ચાહકોનો વર્ગ ઘણો મોટો છે તેમના ચાહકો તેમને “કચ્છી કોયલ’ નામથી ઓળખે છે. આજે ગીતા બેન રબારી ગુજરાતમાં જ ફેમસ છે પરંતુ એના ચાહકો અને એના ગીતો વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી છે.

માત્ર 20 વર્ષની ઉંમરમાં ગવાયેલ ગીતા બેન રબારીના રોણા શેરમા તથા એકલો રબારી ગીત વધુ લોકપ્રિય થયા હતા. આજે તેના ભજન, ગીતા, લોકગીત, સંતવાણી ડાયરી જેવા કાર્યક્રમો દુનિયાભરમાં તેના ગીતોની એક આગવી ઓળખ છે. ગીતા બેન રબારી એમના પિતાની  એકમાત્ર લાડકી દીકરી છે ગીતા બેન રબારીનું બાળપણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયું છે ગીતા બેનના મમ્મી પોતાના નજીકના ગામમાં જઈ અમુક ઘરોમાં કચરા પોતું કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા ગીતા બેન રબારીના આ મુકામ પર પહોંચાડવામાં પિતાની અથાગ મહેનત અને પરિશ્રમ છે. આજે જે મુકામે ગીતા બેન રબારી  છે  એ બધો શ્રેય એ એમના માતાપિતા અને પોતાના પતિ પૃથ્વીને આપે છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago