રમત ગમત

સુરેશ રૈનાના ઘરથી આવ્યા દુઃખદ સમાચાર, તેમના પિતા કેન્સર સામેની જંગ હાર્યા, ગાઝિયાબાદના ઘરમાં લીધા અંતિમ શ્વાસ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના પિતા ત્રિલોક ચંદ રૈનાના અવસાન સમાચાર સામે આવ્યા છે. તેમને ગાઝિયાબાદમાં આવેલ તેમના જ ઘરમાં અંતિમ શ્વાસ લીધા છે. ત્રિલોક ચંદ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ આ જાન્યુઆરીના તેમને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ત્રિલોક ચંદ રૈના ભારતીય સેનાના ભાગ રહ્યા હતા અને તે બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતા,.

જ્યારે સુરેશ રૈનાની વાત કરીએ તો તે તેમના પિતા સાથે ઘરમાં જ રહી રહ્યા હતા અને પિતાની સેવા કરી રહ્યા હતા. થોડા સમય પહેલા તેમને લતા મંગેશકરના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે હવે તેમના પર જ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કેમ કે તેમના પિતા પણ તેમનો સાથ છોડીને ચાલ્યા ગયા છે.

સુરેશ રૈનાનો પરિવાર મૂળ જમ્મુ અને કાશ્મીરના રૈનાવારી ગામનો રહેવાસી છે, પરંતુ 1990 ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હત્યા બાદ સુરેશ રૈનાના દાદાએ ગામ છોડી દીધું હતું. સુરેશ રૈનાના પિતા ઓર્ડનન્સ ફેક્ટરીમાં કામ કરતા હતા. સુરેશ રૈના સિવાય તેમના એક પુત્ર દિનેશ પણ છે (જે સુરેશ રૈનાના મોટા ભાઈ છે). સુરેશ રૈનાને બે બહેનો પણ છે.

સુરેશ રૈનાની વાત કરીએ તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. તેમ છતાં તે આઈપીએલ રમી રહ્યા છે. સુરેશ રૈના અત્યાર સુધી આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા હતા, પરંતુ આ વખતે ચેન્નાઈની ટીમે તેમને રીટેન કર્યા નથી. સુરેશ રૈના 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાનારી મેગા હરાજીમાં ભાગ લેશે. તેમને પોતાની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા રાખી છે. તેમ છતાં તેમના વર્તમાન ફોર્મને જોતા કોઈપણ ટીમ તેમના પર બે કરોડની બોલી લગાવતા પહેલા વિચાર કરી શકે છે પરંતુ તેમના નામ અને ભૂતકાળના રેકોર્ડને જોતા તેમને ખરીદનાર મળી શકે છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago