વ્યવસાય

ભારતના પ્રખ્યાત બિઝનેસમેન રાહુલ બજાજનું 83 વર્ષની ઉમરે અવસાન

ભારતના પ્રખ્યાત બિઝનેસમેન રાહુલ બજાજનું 83 વર્ષીય અવસાન થયું છે. તેમને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે તે 50 વર્ષ સુધી બજાજ ગ્રુપના ચેરમેન પણ રહ્યા હતા. રાહુલ બજાજ દ્વારા ગયા વર્ષે એપ્રિલમાં બજાજ ઓટોના ચેરમેન પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું હતું. બજાજ ઓટોની ભારતીય માર્કેટમાં મોટું નામ છે. તેમાં પણ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કંપની ઘણી પ્રખ્યાત પણ છે. રાહુલ બજાજ દ્વારા 1965 માં બજાજ ગ્રુપની જવાબદારી સાંભળવામાં આવી હતી અને તેમને 50 વર્ષ સુધી ચેરમેન પદ રહીને ફરજ પણ બજાવી હતી.

નોંધનીય છે કે, બજાજ ઓટોની ટેગ લાઈન પણ ઘણી પ્રખ્યાત રહેલી હતી. જેમાં બજાજ ઓટોની જાણીતી ટેગ લાઈન ‘યુ જસ્ટ કાન્ટ બીટ એ બજાજ’ તથા ‘હમારા બજાજ’ કંપનીના આઈકોનિક ટુ-વ્હીલરના કારણે ઘણી પ્રખ્યાત પણ રહી હતી.

બજાજ ગ્રુપ દ્વારા નિવેદન જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે, અમને તે જણાવતા ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે, રાહુલ બજાજનું અવસાન થયું છે. તે સ્વ રૂપા બજાજના પતિ અને રાજીવ-દીપા, સંજીવ-શેફાલી અને સુનૈના-મનિષના પિતા હતા. 12 ફેબ્રુઆરીના બપોરના પરિવારના નજીકના સંભ્યોની હાજરીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમક્રિયા રવિવારના પુણે ખાતે કરાશે.

નોંધનીય છે કે, રાહુલ બજાજની તબિયત ઘણા સમય સારી રહેતી નહોતી. રાહુલ બજાજ હર્ટ એલિમેન્ટ અને ન્યુમોનિયાથી પીડાઈ રહેલા હતા તેના કારણે તેમને એક મહિના પહેલા રૂબી હોલ ક્લિનિકમાં દાખલ થવું પડ્યું હતું. તેમ છતાં તે આ જંગમાં હારી ગયા અને તેમનું આજે અવસાન થઈ ગયું હતું. તેની સાથે રાહુલ બજાજને 2021 માં ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago