Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

દુશ્મન ની નબળાઈ જાણવા માટે કરો આટલું કામ: ચાણક્ય નીતિ ની વાત

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં મિત્રતાની સાથે દુશ્મનાવટથી સંબંધિત નીતિઓ વિષે પણ વર્ણન કર્યું છે. ચાણક્ય નીતિ વાંચવામાં થોડીક કઠોર લાગે છે, પરંતુ તે જીવનની હકીકત બતાવે છે. દોડધામ વળી જિંદગીમાં ઘણીવાર આપણે આ વિચારોને નજર અંદાજ કરી દઈએ છીએ, પરંતુ આચાર્ય ચાણક્યના શબ્દો હજી પણ લોકોને જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે. ચાણક્યએ એક શ્લોકમાં જણાવ્યું છે કે આખરે દુશ્મનની નબળાઈઓ કેવી રીતે શોધી શકાય.

ચાણક્ય કહે છે કે મંત્રણા રૂપી આંખોથી દુશ્મનના છિદ્રો એટલે કે તેની નબળાઈઓ વિશે જાણી શકાય છે. ચાણકિયનો અર્થ એ છે કે મંત્રણા દ્વારા તે વ્યક્તિ બીજાની નબળાઈઓને ક્ષણભરમાં શોધી શકે છે. સામે વાળના રાજને ખોલવામાં તેની આંખો મહત્વની ભૂમિકા ભજવે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિની આંખોથી તેના હૃદયના હાલને જાણી શકાય છે.

જ્યારે આપણે કોઈને મળીએ છીએ અને તેના વિશે જાણવા ની ઈચ્છા રાખીએ છીએ. આ સ્થિતિમાં આપણે આંખો દ્વારા તે વ્યક્તિની ભલાઈ અને દુષ્ટતા જાણી શકીએ છીએ. એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ તેના રાજને છુપાવવા માટે જુઠનો સહારો લે છે, પરંતુ તેની આંખો તેના હૃદયનો અરીસો હોય છે. આવી સ્થિતિમાં તેની આંખો આ રાજ ખોલી દે છે કે તેના મનમાં શું ચાલી રહ્યું છે.

ચાણક્યકહે છે કે વ્યક્તિનો ડર અને આત્મવિશ્વાસ બંને તેની આંખોમાં દેખાય છે. આવી પરિસ્થિતિમાં, વ્યક્તિ પાસે ફક્ત આંખો વાંચવાની કલા હોવી જોઈએ. ચાણક્ય માને છે કે વ્યક્તિની આંખો વાંચવી એ કામ વધુ મુશ્કેલ નથી

[quads id=1]

Related Articles

Back to top button