Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

ધૈર્યરાજ માટે પૈસા જમા કરવા માટે ભર બપોરે રોડ પર ઉતર્યા રાજભા ગઢવી, જાણો શું કહ્યું…

મહીસાગર જિલ્લાના ધૈર્યરાજ નામના 3 મહિનાના માસૂમ બાળક માટે હાલ ગુજરાત રાજ્યમાં ફંડ જમા કરવામાં આવી રહ્યું છે. વાત એવી છે કે આ બાળકને 16 કરોડના ઇન્જેક્શન ની જરૂર છે. જેના માટે ઠેર ઠેર જગ્યાએ થી પૈસાનું દાન કરવામાં આવી રહ્યું છે. આ પગલે સામાન્ય લોકોની સાથે સાથે સેલિબ્રિટી પણ ઉતરી પડ્યા છે અને ઈચ્છિત દાન આપી રહ્યા છે.

આવામાં ધૈર્યરાજ માટે પૈસા ઉગડાવવા માટે ખુદ રાજભા ગઢવી સામે આવ્યા હતા. તેઓ જૂનાગઢથી કેશોદ જતા રસ્તા પર માલબાપા ગ્રુપ દ્વારા પૈસા ઉગડાવતા નજરે પડ્યા હતા. તેઓ કહે છે કે મને આ ગ્રુપના લોકોનો ફોન આવ્યો હતો અને મેં તરત જ વિચાર કર્યા વિના હા પાડી દીધી હતી.

તેઓનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તે લોકો સમક્ષ દાન સ્વરૂપે પૈસા ઊગડાવતા દેખાઈ રહ્યા છે. આ સાથે તેઓ લોકો સમક્ષ વિનંતી કરતા પણ જોવા મળ્યા હતા. જેનો વીડિયો તેમાં સોશ્યલ મીડિયા પર મૂકી શકો છો.

દોસ્તો હાલમાં ધૈર્યરાજની મદદ કરવા માટે ઘણા કલાકારો સામે આવી રહ્યા છે. જેમાંથી ઘણા સિતારાઓએ તો ખુદ પૈસા આપીને લોકોને પણ દાન આપવા વિનંતી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ બાળકની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે.

અત્યાર સુધીમાં આ બાળકને સ્વસ્થ કરવા માટે અડધા પૈસા ભેગા થઈ ગયા છે. ગુજરાતના લોકો પોતાના દિલ ખોલીને દાન કરી રહ્યા છે. આવામાં જો તમે પણ દાન કરવા ઈચ્છતા હોય તો તમે ઘણી જગ્યાએ તેમને એકાઉન્ટ નંબર વિશે માહિતી મેળવી શકો છો.

[quads id=1]

Related Articles

Back to top button