દેશ

જમ્મુમાં મોટો બ્લાસ્ટ : શહેરના વ્યસ્ત વિસ્તારમાં વિસ્ફોટથી થતા ત્રણ લોકોના મોત, 15 થી વધુ ઈજાગ્રસ્ત

જમ્મુના રેસિડેન્સી રોડ વિસ્તારમાં એક રહસ્યમય વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ બ્લાસ્ટ એક ભંગારની દુકાનમાં થયો હતો. પોલીસ દ્વારા આ મામલાની તપાસમાં કરવામાં આવી રહી છે. વિસ્ફોટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળેથી પોલીસ દ્વારા પુરાવા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

આજ સાંજના રેસિડેન્સી રોડ પર જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના અવાજથી વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. જમ્મુ શહેરના વ્યસ્ત વિસ્તારમાં વિસ્ફોટની ઘટનાએ અધિકારીઓમાં પણ હડકંપ મચાવી દીધી છે. વિસ્ફોટ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જમ્મુના રેસિડેન્સી રોડ વિસ્તારમાં આવેલી એક ભંગારની દુકાનમાં આજ સાંજના આગ લાગી હતી. આગની જ્વાળાઓએ સંપૂર્ણ ઇમારતને તેની ઝપેટમાં લઇ લીધી હતી. ત્યાર બાદ અંદર પડેલા કેટલાક LPG સિલિન્ડર પણ ફાટ્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકોમાં જીવ ગયા છે. જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તેની સાથે પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી સ્થળ પરથી મૃતક અને ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જયારે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago