દેશ

જૂનમાં બેંકોની ફરી હડતાલ, જાણો શા માટે અને ક્યારે થઈ શકે હડતાલ….

સરકારી બેંક કર્મચારીઓએ 27 જૂને હડતાળ પર જવાની ચેતવણી આપી છે. બેંક કર્મચારીઓ તેમના પેન્શન સંબંધિત મુદ્દાઓ પર દબાણ કરવા અને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની માંગને લઈને દબાવ બનાવવા ઈચ્છે અને આ હડતાલનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. પેન્શનરો માટે પેન્શનનું અપડેટ અને રીવીઝન તથા રાષ્ટ્રીય પેન્શન યોજનાને સમાપ્ત કરવાથી લઈને અને બધા બેંક કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને પુન:સ્થાપિત કરવા જેવા મુદ્દાઓ માટે રાષ્ટ્રવાપી હડતાળની ચેતવણી આપવામાં આવી છે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ સહિત નવ બેંક યુનિયનોની એક સંસ્થા દ્વારા સંભવિત હડતાળને સમર્થન આપવામાં આવ્યું છે. આ સંગઠનોએ જાહેરાત કરી છે કે, આ દિવસે (27 જૂન) દેશભરની બેંકોમાં કોઈ કામકાજ નહીં થાય.

દેશમાં બેંકિંગ કામગીરી 25 જૂન અને 26 જૂને સમગ્ર સ્થગિત કરવામાં આવશે કારણ કે ચોથા શનિવારના કારણે 25 જૂને બેંક રજા રહેશે અને 26 જૂને સાપ્તાહિક રજા રહેશે. એટલા માટે જો 27મી જૂને સોમવારે પણ હડતાળના કારણે બેંકો કામ નહીં કરે તો સતત 3 દિવસ બેંકોમાં કામકાજ થશે નહીં.

સરકારી ક્ષેત્રોની બેંકોએ આ હડતાળની ચેતવણી આપી છે અને જો તેને રોકવામાં નહીં આવે લોકોને જૂનના અંતિમ, અઠવાડિયામાં મોટી મુશ્કેલી થઈ શકે છે. તેથી તમને સલાહ આપવામાં આવી રહી છે કે, જો બેંકનું કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તેને 25 જૂન પહેલા પતાવી દો, નહીં તો તમારું કામ 3 દિવસ સુધી અટકી શકે છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago