Categories: સમાચાર

અમરેલીમાં જૂના જમાનાની યાદો તાજા થઇ, વરરાજો કારના બદલે બળદગાડામાં જાન કાઢીને પરણવા ગયો

લગ્ન પ્રસંગની વાત કરવામાં આવે તો હાલના સમયમાં મોંઘી ગાડી, બગીમાં જાન કાઢવાનો જમાનો રહેલો છે. તેમ છતાં અમરેલીમાં એક વરરાજાની જાન ચર્ચાનો વિષય બની છે. અમરેલીના એક ગામમાં વરરાજા કારના બદલે બળદ ગાડામાં જાન કાઢીને પરણવા ગયા હોવાની કિસ્સો સામે આવ્યો છે. જેના લીધે તેની ચારોતરફ ચર્ચાઓ થવા લાગી છે. તેના પાછળનું કારણ જૂના જમાનાની યાદો છે કેમકે જૂના જમાનામાં લોકો બળદગાડામાં બેસીને જાનને લઈને જતા હતા.

જ્યારે હાલના સમયમાં સાદું બળદ ગાડું પણ જોવા મળતું નથી ત્યારે દિતલા ગામના આ પરિવાર દ્વારા ત્રણ મહિનાની મહેનત બાદ બળદ અને ગાડાને શણગારવા માટે દેશી ભરત અને ઝૂલો સાથે જૂના જમાનાની પરંપરા જાળવવા અને નવી પેઢીને લગ્નની પરંપરાથી અવગત કરાવ્યા છે. સુરતમાં રહેનાર લલિતભાઈ ડોબરીયાએ પોતાના પુત્ર હેનિલના લગ્નની જાન બળદગાડામાં લઇ ગયા હતા. શણગારેલા બળદ ગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને દેશી ભરતકામથી બળદગાડામાં જાન લઈને તેઓ દિતલાથી નેસડી મુકામે પહોંચ્યા હતા.

તેની સાથે હેનિલ ડોબરિયાએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલ છે અને હાલ પોતાના પિતા સાથે વ્યવસાયમાં તે જોડાયેલા છે. હેનિલે તેના દાદા પાસે સાભળ્યું છે કે, પહેલાના સમયમાં બધા લોકો બળદગાડા અને ઘોડા પર સવાર થઈને પરણવા જતા હતા. હેનિલ દ્વારા પોતાના પરિવારજનો પાસે પોતાની જાન ગાડામાં લઈ જવાની ઈચ્છા વ્યકત કરવામાં આવી હતી. જેના લીધે તેમના પરિવારજનો દ્વારા પુત્રની ઈચ્છા માન આપ્યું અને બળદ ગાડાને શક્ય એટલો જૂનવાણી ટચ આપવાનો પ્રયત્ન કર્યો હતો.

તેની સાથે વર્ષો બાદ દિતલા અને નેસડી ગામના લોકો દ્વારા બળદગાડામાં સવાર થઈને આવેલી જાન જોતા જ મોટી ઉમરના લોકોની ભૂતકાળની યાદો તાજી થઈ ગઈ હતી. આ સિવાય લોકો દ્વારા પણ આ જાનની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા હતા.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago