Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
બોલિવૂડમનોરંજન

Akshay Kumar કપિલ શર્માના શોમાં હવે જોવા મળશે નહીં, જાણો શું છે તેના પાછળનું કારણ….

‘ધ કપિલ શર્મા શો’ વિશે આપણે દરેક જાણીએ છે આ શો તેના હાસ્યના પાત્રથી દરેકને હસાવતો રહે છે. પરંતુ આ શોને લઈને એક વિવાદ સામે આવ્યો છે. તે પણ અક્ષય કુમારને લઈને સામે આવ્યો છે. અક્ષય કુમારની વાત કરીએ તો તે પોતાની દરેક ફિલ્મનું પ્રમોશન માટે કપિલ શર્મા શોમાં આવતા હોય છે. પરંતુ આ તેમને લઈને જાણકારી સામે આવી છે કે, તે હવે કપિલ શર્માના શોમાં જોવા મળશે નહીં.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, અક્ષય કુમાર તેમની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ના પ્રમોશન માટે કપિલના શોમાં જવાના નથી. અભિનેતા અક્ષય કુમાર દ્વારા શોમાં જવાની ના પાડી દેવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કપિલ શર્મા અથવા તેની નજીકના કોઈ સૂત્ર દ્વારા આ સમાચારને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી.

એક નામી ચેનલના મુજબ, અભિનેતા અક્ષય કુમાર કપિલ શર્મા અને તેની ટીમથી નારાજ થયા છે. તેમાં જાણવા મળ્યું છે કે, તેમને ઈન્ટરવ્યુમાં પીએમ નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલ જોકને એડિટ કરવા માટે કહ્યું હતું પરંતુ તે થયું નહિ અને આ ક્લિપ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ જતા ભારે હોબાળો થયો હતો. જેના લીધે અક્ષય કુમાર માની રહ્યા છે કે, કપિલ શર્માએ તેમનો વિશ્વાસ તોડ્યો છે માટે તે કપિલ શર્મા માં જવાના નથી. તેમ છતાં હજુ સુધી આ રિપોર્ટ પર કપિલ શર્મા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી.

તેની સાથે અક્ષય કુમારની ફિલ્મની વાત કરવામાં આવે તો ‘બચ્ચન પાંડે’ 18 માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ સિવાય અક્ષય કુમાર રામ સેતુ, રક્ષાબંધન, પૃથ્વીરાજ, સેલ્ફી અને સિન્ડ્રેલા જેવી ફિલ્મો પણ રહેલી છે. જ્યારે હવે જોવાનું એ રહેશે કે, આ વિવાદ છે કે પછી કંઈક બીજું છે.

 

[quads id=1]

Related Articles

Back to top button