દેશ

Bharatiya Samvidhan Book લોન્ચ કરવાની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ કહી આ મોટી વાત….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રામ બહાદુર રાયની ભારતીય બંધારણની પુસ્તકનું વિમોચન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું છે કે, બંધારણના ઘડવૈયાઓ ભારતની આત્માને સમજે છે. તેમણે જણાવ્યું કે, દેશ બંધારણ પર ચાલે છે. ભારતનું બંધારણ અનન્ય છે. તેમણે જણાવ્યું કે, ફરજનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, કર્તવ્ય છે તો અધિકાર છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, આપણા ત્યાં સામાન્ય માણસને પ્રેરણા આપવા માટે ઋષિમુનિઓને એક મંત્ર આપ્યું હતું, ચરૈવેતિ, ચરૈવેતિ, ચરૈવેતિ…એક પત્રકાર માટે આ મંત્ર નવા વિચારોની શોધ અને સમાજ સામે કંઇક નવું લાવવાની ઈચ્છા તેમની સરળ સાધના હોય છે.

પુસ્તક વિમોચન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ‘Bharatiya Samvidhan Book’, તમારું આ પુસ્તક તેના શીર્ષકને અનુરૂપ રહેશે અને દેશની સામે બંધારણને વધુ વ્યાપક રીતે રજૂ કરશે. હું રામ બહાદુર રાય જી અને તેના પ્રકાશન સાથે સંકળાયેલા તમામ લોકોને આ નવતર પ્રયાસ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

પીએમ મોદીએ જણાવ્યું કે, જ્યારે આપણે નવા સંકલ્પ સાથે બહાર નીકળીએ છીએ, ત્યારે આપણી માહિતી આપણી જાગૃતિ બની જાય છે. આપણું જ્ઞાન જ બોધ બની જાય છે, તેથી એક રાષ્ટ્ર તરીકે આપણે આપણા બંધારણને ઊંડાણપૂર્વક જાણીશું તેટલા પ્રમાણમાં આપણે બંધારણની શક્તિનો સારી રીતે ઉપયોગ કરી શકીશું.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago