અમદાવાદમાં એક યુવતીએ તેના પતિને પાછો મેળવવા માટે એક વિડીયો સોશ્યલ વાયરલ કર્યો છે. જેમાં પ્રેમ લગ્ન કર્યાના 6 વર્ષ બાદ યુવકના પરિવારજનો તેના પતિને લઈ ગયા હોવાની પોલીસ મથકે અરજી કરી છે અને જો તેનો પતિ 24 કલાકમાં નહીં આવે તો પોતાના બાળક સાથે કેનાલમાં પડી આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતો વિડીયો વાયરલ થયો છે.
અમદાવાદમાં સસરિયાઓના ચૂંગલમાંથી પોતાના પતિને પાછા મેળવવા માટે પત્નીએ સોશિયલ મીડિયામાં આજીજી કરતો વિડીયો વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના બાપુનગર ખાતે રહેતા રેખાબેન ચૌધરીએ થરાદના આજાવાડાના પ્રકાશ ચૌધરી નામના યુવક સાથે 6 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા, તેમને દાંપત્યજીવન દરમ્યાન એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી અને તેમના પતિ બાપુનગર ખાતે એક દુકાનમાં નોકરી કરતા હતા.
જોકે રેખાબેનના સસરિયાઓ આ લગ્નથી રાજી ન હતા, જે દરમિયાન ત્રણ દિવસ અગાઉ રેખાબેનના સાસરીયા તેમના પતિને નોકરીના સ્થળેથી બારોબાર લઈ ગયા હતા. જે માહિતી મળતા જ રેખાબેન તરત જ બાપુનગર અને થરાદ પોલીસ મથકે અરજી કરી હતી. પોલીસ મથકમાં અરજી કર્યા બાદ ત્રણ દિવસ સુધી તેમના પતિનો કોઇ જ પતો ન મળતા અને ફોન ન આવતા અને તેનો મોબાઈલ ફોન બંધ હોવાના કારણે રક્ષાબેન હવે પડી ભાંગ્યા હતા અને પોતાના પતિને પાછા મેળવવા માટે હવે તેઓએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.
તેમણે રડતા-રડતા પોતાના પતિને સાસરીયાઓના ચૂંગલમાંથી છોડાવવા માટે આજીજી કરી છે અને 24 કલાકમાં તેમનો પતિ પાછો નહીં આવે તો પોતાની પુત્રી સાથે કેનાલમાં પડી આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…