સ્વાસ્થ્ય

ખૂબ જ ચમત્કારિક છે સોપારી, દાંતના દુ:ખાવાથી લઈને પેટના રોગને ઝડપથી કરે છે દૂર

સોપારી (Betel Nut) નું નામ સાંભળતા જ આપણને પાન કે ગુટખા યાદ આવી જાય છે. આ ઉપરાંત સોપારીનો ઉપયોગ પૂજા-પાઠમાં પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સોપારીનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. આયુર્વેદ અનુસાર સોપારીમાં ઔષધીય ગુણ (Medicinal Properties) હોય છે. સોપારી ઘણા રોગોની સારવાર અને નિવારણમાં કામ આવી શકે છે. જાણો સોપારીના ફાયદા શું-શું છે?

પેટના રોગોથી સોપારી અપાવશે છુટકારો

જણાવી દઈએ કે સોપારી પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સોપારીનો ઉકાળો બનાવીને પીવાથી પેટમાં કીડા રહેતા નથી. આ ઉપરાંત છાશ સાથે 1 થી 4 ગ્રામ સુધી સોપારી ખાવાથી આંતરડાના રોગો મટી જાય છે. જો તમને ઝાડા થઈ રહ્યા છે તો 5 લીલી સોપારી ધીમી આંચ પર શેકી લો. ત્યારબાદ સોપારીને કાપીને ખાઈ લો. તેનાથી ઝાડાની સમસ્યા દૂર થઇ જશે.

દાંત માટે ફાયદાકારક છે સોપારી

જાણી લો કે સોપારી દાંત માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. સોપારીના પાઉડરથી દાંતની માલિશ કરવાથી દાંતને લગતા રોગો મટી જાય છે અને દુખાવા પણ મટી જાય છે.

ઉલટીને રોકવામાં અસરકારક છે સોપારી

આ ઉપરાંત જો તમને ઉલ્ટી આવી રહી છે તો તમે સોપારીનો ઉપયોગ કરી શકો છો. હળદર પાવડર અને સોપારી ખાંડ સાથે મિક્સ કરીને પીવો. તેનાથી ઉલટી આવશે નહીં.

સોપારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જ્યારે પણ તમને ઈજા થાય, તો ઘાને સુકવવા માટે તેના પર સોપારી પીસીને લગાવી લો, તેનાથી ઘા ઝડપથી સુકાઈ જશે.

આંખોની લાલાશ દૂર કરે છે સોપારી

નોંધનીય છે કે સોપારી આંખો માટે પણ ફાયદાકારક છે. જો તમારી આંખો લાલ રહે છે તો સોપારી તમારા કામે આવી શકે છે. સોપારી, અપાંપ્પ અને થોડું સ્પેસ્ટિક પીસીને મિક્સ કરો. પછી તેને લીંબુના રસમાં ઓગાળી દો. આ પછી, તેને એક -એક ટીપું આંખોમાં નાખો, જેનાથી લાલ આંખો બરોબર થઈ જશે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago