સમાચાર

વિડીયો : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને બખિયારપુરમાં એક યુવકે માર્યો લાફો

રાજધાની પટનાના બખિયારપુરમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેના લીધે મુખ્યમંત્રી નીતીશ કુમાર એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે જાણકારી સામે આવી છે કે, બખિયારપુરમાં એક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમાર પહોંચ્યા હતા તે દરમિયાન એક યુવક દ્વારા તેમને લાફો મારવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, જ્યારે આ દરમિયાન એક યુવક ઝડપથી મંચ આવી ગયો અને તેને ગાર્ડ પકડે તે પહેલા જ તેને મુખ્યમંત્રી નીતીશ કુમારને લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ લાફો મારવાના પ્રયાસ દરમિયાન તેને તેમના ખભા પર લાફો મારી દીધો હતો. તેના લીધે પોલીસ દ્વારા યુવકની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી હતી. યુવકને અત્યારે બખિયારપુર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવેલ છે અને તેની તપાસમાં કરવામાં આવી રહી છે આ યુવક આખરે કોણ છે.?

મુખ્યમંત્રી નીતીશ કુમારને યુવક દ્વારા લાફો મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગયો છે.

આ ઘટનાને જોતા એક વાત તો સ્પષ્ટ છે કે, મુખ્યમંત્રીની સુરક્ષામાં ચુક જોવા મળી રહી છે. તાજેતરની જાણકારી મુજબ, સીએમ નીતીશ કુમાર બખિયારપુરમાં એક મૂર્તિ પર માલ્યાર્પણ કરવા માટે ગયેલા હતા. તે દરમિયાન મંચ પર આવીને એક યુવક દ્વારા સીએમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સીએમના સુરક્ષા જવાનો દ્વારા યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી. અત્યારે યુવકની કસ્ટડીમાં પુછપરછ કરવામાં આવી રહી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago