Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જ્યોતિષ

ઘર માં આ એક વસ્તું રાખવાથી પૈસા અને વૈવાહિક જીવન સાથે જોડાયેલ બધી જ તકલીફો થશે દૂર.

મનુષ્યનું જીવન પડકારોથી ભરેલું છે. લોકો ને પોતાનાં જીવન માં એ બધી જ તકલીફો નો સામનો કરવો પડે છે જેનાથી તેઓ અજાણ હોય છે અને સાથો સાથ પોતાનું કરિયર પણ બનાવવું પડતું હોય છે. કેટલાક લોકો પોતાની સમસ્યા નું સમાધાન મેળવવાં માટે જ્યોતિષ અને વાસ્તુ નો પણ આધાર લે છે કે જેથી તેઓ આ બધી જ સમસ્યાઓ માંથી જલ્દી છુટકારો મેળવી શકે અને એક વધું સારું જીવન જીવી શકે.

જો તમારા જીવન માં પણ પૈસા અને આર્થિક તકલીફો હોય કે પછી તમારા વૈવાહિક જીવન માં અનબન થઈ હોય તો કંઈ ખાસ કરવાની જરૂર નથી, બસ ઘર માં એક ખાસ વસ્તું રાખવા થી આ બધી જ તકલીફો એમ ગાયબ થઈ જશે કે લાગશે કે એ તકલીફો ક્યારે પણ હતી જ નહી! તો આવો જાણીએ..

માન્યતા છે કે ચાંદી નો મોર ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા નો વાસ થાય છે અને ચાંદી ને ઘરમાં રાખવા માટે નું શુભ ધાતું માનવા માં આવે છે અને બીજી બાજુ દેવતાઓ ને આ અતિપ્રિય હોય છે. ચાંદી નાં મોર ને ઘરમાં રાખવાથી પૈસા ની તકલીફ ક્યારે પણ ઉભી થતી નથી. અને સાથે જ તમારી પાસે જે પૈસા છે તે ટકી રહેવાના પણ શરૂ થઈ જાય છે. આ મોર નાચતો હોવો જોઈએ.

કહેવાય છે કે જો તમારા  વૈવાહિક જીવન માં ઘણી તકલીફો અને અનબન ચાલી રહી હોય તો ચિંતા ન કરો, ઘર માં જોડી નાં રૂપ માં ચાંદી નો મોર રાખવાથી આ બધી તકલીફો દૂર થઈ જશે અને વૈવાહિક જીવન માં ખુશહાલી અને શાંતિ બની રહેંશે. ચાંદી ની ડબ્બી માં સિંદૂર રાખવાથી વિવાહિત સ્ત્રીઓ ને અખંડ સૌભાગ્ય નું વરદાન મળે છે. ચાંદીને  સુખ-શાંતિ અને સમૃદ્ધિ નું પ્રતિક માનવા માં આવે છે. પહેલાનાં સમય થી જ કહેવાય છે કે મોર ઘરમાં સુખ-સુવિધા વધારે છે. ઘરનાં ડ્રોઈંગ રૂમ માં ચાંદી નો મોર જરૂર રાખો . આનાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને દરેક કામ માં સફળતા મળે છે.

શાસ્ત્રો અનુસાર ચાંદી ને શુભ માનવા માં આવે છે અને તે જ ચાંદી નો મોર ભાગ્ય પણ વધારે છે. જો તમે પણ એવું ઈચ્છતા હોવ કે તમારું જીવન  પણ ચમકી જાય તો ચાંદી નો મોર પૂનમ નાં દિવસે ખરીદી તિજોરી માં મુકી દો, આને શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂજા-પાઠ માં ચાંદી નો ઉપયોગ ખુબ જ શુભ ગણવામાં આવે છે. ઘર નાં મંદિર કે પૂજા સ્થળ પર શાંત અવસ્થા માં બેસેલો ચાંદી નો મોર રાખવાથી પૂજા નું બે ગણું ફળ મળે છે.

 

[quads id=1]

Related Articles

Back to top button