જ્યોતિષ

શુક્રવારે આ વ્રત કરવાથી ઘરમાં થશે ધન વર્ષા જાણો શું લાભ મળે છે આ વ્રત કરવાથી

સામાન્ય રીતે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓએ જ પોતાના સાસરે ગયા બાદ કરવું જોઈએ. પણ ક્યારેક જો અનુકૂળતા ન હોય તો ઘરમાં જ કોઈ કુવારીકા હોય એ પણ આ વ્રત સરળતાથી કરી શકે છે. જો ઘરમાં સ્ત્રીઓ માટે આ વ્રત કરવું અશક્ય હોય અને કુમારિકા ન હોય તો ઘરમાંથી કોઈ પણ પુરુષ આ વ્રત કરી શકે છે.

આ વ્રત કોઈને પરાણે કરવું નહીં પરંતુ પૂરે પૂરી શ્રધ્ધા અને ભાવથી સાથે આ વ્રત જ કરવું જોઈએ. તો જ આ વ્રતનું ફળ મળે છે. સામાન્ય રીતે આ વ્રત હંમેશા માટે કરવું જોઈએ. અથવા તો બને ત્યાં સુધી કરવું જોઈએ પરંતુ વ્રત ફળ્યું કે તરત જ મૂકી દેવું જોઈએ નહીં. મતલબ કે ફળની આશા રાખ્યા વગર જ આ વ્રત કરવું જોઈએ.

શુક્રવારે વૈભવી લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે. માન્યતા છે કે શુક્રવારે વિધિ-વિધાનથી મા વૈભવી લક્ષ્મીજીની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. અને પોતાના ભક્તોને સુખ-સમૃદ્ધિના વરદાન આપે છે. આ સાથે જ ભક્તો પર ધનની વર્ષા કરે છે. શુક્રવારે મા વૈભવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં શાંતિ જળવાઇ રહે છે. અને દરેક મનોકામના પૂરી થાય છે.

ઘરમાં એવી તસવીર લગાવો જેમાં મા લક્ષ્મીના હાથમાંથી ધનની વર્ષા થતી હોય. જો તમારા હાથમાં પૈસા નથી રહેતા અને વધારે ખર્ચ થાય છે તો આ તસ્વીર લાગાવો જેમાં વૈભવ લક્ષ્મી ઊભા હોય અને તેમના હાથમાંથી ધનની વર્ષા થતી હોય.

જો કારણ વગરનો વધુ પડતો ખર્ચ થઇ રહ્યો છે. તો મા લક્ષ્મીના ચરણોમાં પ્રત્યેક દિવસ એક રૂપિયાનો સિક્કો અર્પણ કરો અને તેને જમા કરીને મહિનાના અંતમાં કોઇ શ્રીમંત મહિલાને આપી દો. જો તમે મા લક્ષ્મીને પ્રત્યેક દિવસ વિધિવત પૂજા નથી કરી શકતા તો દર શુક્રવારે માતા લક્ષ્મીની વ્રત કથાનો પાઠ કરો. આમ કરવાથી તમારા બધા કષ્ટ દૂર થઇ જશે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

મા લક્ષ્મીજીની તસવીરની સામે દિવો પ્રગટાવો. મા લક્ષ્મી માટે હંમેશા ઘીનો દિવો જ પ્રગટાવો. મા લક્ષ્મીને ઇત્ર ચઢાઓ અને તે ઇત્રનો નિયમિત ઉપયોગ કરો.

 

Team Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago