ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે. ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, ગીતા આ લોકમાં સુખ, શાંતિ અને તંદુરસ્તી કેમ મળે એની વાત કહે છે. ગીતા માત્ર વૃદ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી, એ બાળપણથી જ આત્મસાત્ કરવા જેવી અનેક શીખામણ આપે છે. શ્રીમદ ભાગવતગીતા આપણો અત્યંત પવિત્ર ગ્રંથ છે. મહાભારતનો એ ભાગ, જ્યારે ભગવાન કૃષ્ણે મહાભારતની લડાઇમાં અર્જુનને સલાહ આપી હતી.
તે સમયે, ભગવાન કૃષ્ણ જીવનના રહસ્યને એમના કથાનોને મારફતે અર્જુન સમજાવી રહ્યા હતા.એ કથાનો આજે કોઈ પણ વ્યક્તિ માટે એટલા જ મહત્વ પૂર્ણ અને સાચા છે જેટલા મહાભારતની લડાઈના સમયે અર્જુન માટે હતા!
તમે જેનાથી નિરાશ છો તેને ભૂલી જાઓ. હાલમાં, જો તમને કંઈક ખૂબ જ દુઃખ આપતું હોય તો તેની પાછળ એક ચોક્કસ કારણ છુપાયેલું હશે. આ એક ચક્ર છે, જેને તમારે સ્વીકારવું જ પડશે. તેથી, ભવિષ્યના કે ભૂતકાળના સમયનો વિચાર કર્યા વિના તમારા વર્તમાનને આનંદથી જીવો અને ખુશ રહો.
માત્ર એક જ ક્ષણ તમને રાજા અથવા ફકીર બનાવી શકેછે. પૃથ્વી પણ સ્થિર નથી, તે ફરતી રહે છે – રાત દિવસ પછી આવે છે, અને ઉનાળા પછી જ આનંદદાયક ચોમાસુ આવે. આ જ ઘટનાઓ સાબિત કરે છે કે પરિવર્તન જ સંસારનો નિયમ છે.તેથી કોઈ પણવાતોઅથવા વસ્તુઓ વિશે ઉદાસ રહેવાની જરૂર નથી. પરિવર્તનનો સ્વીકાર કરવો એ તમને કોઈ પણ કઠોર પરિસ્થિતિમાં ખુશ રહેવાની તાકાત આપશે.
આપણી સમસ્યા એ છે કે આપણે પોતાને જ નથી જાણતા. આપણામાંથી મોટા ભાગના લોકોએ પોતાની જાતને મળવા માટે ક્યારેય પ્રયાસ કર્યો જ નથી. ધ્યાન આપણને આપણી જાતને સાથે મલાવે છે અને જ્યારે આપણે આપણી જાતને જાણી લઈએ છીએ, ત્યારે આપણે ખબર પડે છે કે જીવન જાદુઈ છે. ધ્યાન કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી શકે છે.
આજે આપણામાંના મોટાભાગના લોકો ટેમ્પલ રન ગેમ જેવા બની ગયા છે જેમાં એક છોકરો ચાલ્યો જાય છે અને નાણાં એકત્ર કરવાનું ચાલુ રાખે છે. પરંતુ એ છોકરો જાણતો નથીહોતો કે એ ક્યાં જતો હતો, શા માટે જતો હતો અને કેમ જતો હતો. તેને ફક્ત સિક્કા ભેગા કરવાની જ ખબર પડે છે.
તમે જે વિચારો કરો છો અને જે માનો છો – તે જ તમારી જોડે થાય છે અને તમે એવા જ બનો છો. જો તમે માનતા હો કે તમે સુખી વ્યક્તિ છો, તો તમે ખુશ થશો અને જો તમે નકારાત્મક વિચારો લાવશો તો તમે નાખુશ થશો! જો તમે માનો છો કે આજનો દિવસ સારો છે, તો તમારો દિવસ સારો જ રહેશે.
ભગવદ્ ગીતાનુ આ વાક્ય આપણા બધા માટે ખૂબ મહત્વનું છે. આપણે હંમેશાં પૈસા, સારા ઘર, સારી કાર અને સુરક્ષિત ભવિષ્ય માટે કામ કરીએ છીએ. પરંતુ મોટાભાગના લોકો રેસ તરીકે જીવનને ધ્યાનમાં રાખીને જીવન જીવી રહ્યા છે જેથી તેઓ ટૂંક સમયમાં મજિલ મળી શકે. અને જ્યારે મંજિલ મળે છે, ત્યારે તેઓ સુખ નથી પામી શકતા અને તેઓ આગામી મજિલ માટે દોડવાનું શરૂ કરે છે. પણ તેઓ સમજી શકતા નથી
“જીવન એક સફર છે, કોઈ મંજિલ નથી.તમને સારી મંજિલના બદલે ખુશી નઈ મળે, કારણ કે એ ખુશી તો જીવનના સફરમાં જ છુપાયેલી છે.”
શંકા એ આપણા મનના અસ્પષ્ટ વિચારોનો પડદો છે. શંકા બધાને કાયર અને અસ્થિર બનાવી શકે છે. શંકાના લીધે, વ્યક્તિ હિંમતવાન નિર્ણયો નથીલઇ શકતા અને સખત મહેનત કરવા છતાં પણ એ હારેલા માણસની જેમ જીવન જીવે છે.
તમે જ તમારા શ્રેષ્ઠ મિત્ર છો, તમારી પાસે તમારા બધા મુશ્કેલીઓનો ઉકેલ છે, તમારી સાથે બીજું કોઇ નથી જો તમે તમારી સમસ્યાઓ માટે બીજા કોઈનો સંપર્ક કરો છો,તો તમને મદદ નહીં પણ અલગ અલગ સૂચનો મળશે. તમારી જાત પર વિશ્વાસ રાખીને તમારે જાતે જ જવાબ શોધવો પડશે.
ભય સાથે આપણે કંઈપણ કરી શકતા નથી. ભય અને ચિંતા એ બે દુશ્મન છે જે આપણા સુખ અને શાંતિને અવરોધે છે, તેથી આપણે તેમને મનમાંથી સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…