રમત ગમત

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રવિચંદ્રન અશ્વિને ફટકારી અનોખી સદી…

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રવિચંદ્રન અશ્વિને ફટકારી અનોખી સદી...

ભારતીય સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રવિચંદ્રન અશ્વિને શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 12 વિકેટ લીધી હતી. તેની પાસે હવે ટેસ્ટ ક્રિકેટમાં 442 વિકેટ છે અને તે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોની યાદીમાં આઠમા નંબર પર પહોંચી ગયા છે. આ સિવાય તેણે બીજી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય સ્ટાર ઓફ સ્પિનરે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રવિચંદ્રન અશ્વિનના નામે હવે WTC માં સૌથી વધુ 100 વિકેટ લીધી છે. તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીના બંને સમયગાળામાં વિકેટની સદી પૂરી કરનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે.

રવિચંદ્રન અશ્વિન બાદ ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ છે, જેમના નામે અત્યારે ICC વર્લ્ડ ટેસ્ટ છેમ્પિયનશિપમાં બીજા નંબરે સૌથી વધુ વિકેટો છે. પેટ કમિંસના નામે હાલમાં 93 વિકેટ છે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ 83 વિકેટ સાથે ત્રીજા, ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટિમ સાઉથી 80 વિકેટ સાથે ચોથા ક્રમે, ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ 74 વિકેટ સાથે પાંચમા અને ઓસ્ટ્રેલિયાનો સ્પિનર નાથન લિયોન પણ એટલી જ વિકેટ સાથે છઠ્ઠા નંબર પર છે.

WTC માં સર્વાધિક વધુ વિકેટ લેનાર બોલર

100 – રવિચંદ્રન અશ્વિન

93 – પેટ કમિન્સ

83 – સ્ટુઅર્ટ બ્રોડ

80 – ટિમ સાઉથી

74 – જસપ્રીત બુમરાહ

74 – નાથન લિયોન

આ 12 મી વખત છે જ્યારે રવિચંદ્રન અશ્વિને ભારત માટે ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ 12 વિકેટ લીધી છે. તેમણે ભારતમાં ટીમ માટે 18 ટેસ્ટ સિરીઝ રમી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago