સમાચાર

રાષ્ટ્રપતિ જો બાઈડનના રશિયા પર આપવામાં આવેલ નિવેદન પર વ્હાઇટ હાઉસે કહી આ મોટી વાત……

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન યુક્રેનમાં ચાલી રહેલા રશિયામાં હુમલાઓની વચ્ચે ગઈ કાલે પોલેન્ડ પહોંચ્યા હતા. તે દરમિયાન તેમને ત્યાં રહેલા યુક્રેનિયન શરણાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. અહીં બાઈડને મોડી રાત્રે પોલેન્ડની રાજધાનીમાં લોકોને સંબોધિત પણ કર્યા હતા. રાષ્ટ્રપતિ બિડેને પોતાના ભાષણમાં રશિયા પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, વ્લાદિમીર પુતિન સત્તામાં રહી શકશે નહીં. તેમ છતાં, વ્હાઇટ હાઉસે તરત જ આ નિવેદન પરત લેવું પડ્યું હતું અને હવે તેણે તેના પર સ્પષ્ટતા આપી છે.

રાષ્ટ્રપતિ બિડેનના ભાષણ બાદ વ્હાઇટ હાઉસના અધિકારીએ બાઈડનના “આ માણસ સત્તામાં રહી શકતો નથી” ની ટિપ્પણી પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ બાઈડન રશિયામાં પુતિનની શક્તિ અથવા શાસન પરિવર્તન પર ચર્ચા કરી રહ્યા નથી. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યા હતા કે જો બાઈડનની વિદેશ નીતિ અમેરિકાથી અલગ છે.

રશિયાને ચીડવવા માટે બેલારુસના નેતા સાથે વાત કરી
જ્યારે જો બાઈડને બેલારુસના વિપક્ષી નેતા શિવતલાના ત્સિખાનૌસ્કાયાથી ફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિએ વાર્સોમાં પોતાના ભાષણમાં ભાગ લેવા માટે ત્સિખાનૌસ્કાયાનો આભાર માન્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સહિત માનવ અધિકારોના રક્ષણ અને આગળ વધારવામાં બેલારુસિયન લોકો માટે યુનાઇટેડ સ્ટેટ્સના સતત સમર્થન પર ભાર મૂક્યો હતો.

પોલેન્ડના વાર્સોમાં એક સંબોધનમાં જો બાઈડને રશિયા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા પાસે કોઈ દલીલ નથી. આ બર્બર હુમલા માટે રશિયા જવાબદાર છે. અમે યુક્રેન સાથે ઊભા છીએ. પુતિન પર હુમલો કરતા તેમને કસાઈ કહ્યા હતા.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago