મનોરંજન

ધ કપિલ શર્મા શોમાં ફરી થવા જઈ રહી છે સુનીલ ગ્રોવરની એન્ટ્રી? સલમાન ખાને મનાવી લીધા છે? જાણો હકીકત…

ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ થોડા દિવસો માટે ઓફ-એર છે, જે ટૂંક સમયમાં નવી શૈલીમાં પાછો જોવા મળશે. આવી સ્થિતિમાં ‘ધ કપિલ શર્મા શો’ માં સુનીલ ગ્રોવર કમબેક કરવા માટે સંમત થયા હોવાની અફવાઓ ફેલાઇ રહી છે. તમને આ અફવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સુનીલ ગ્રોવરને બોલિવૂડ એક્ટર ‘સલમાન ખાન’ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. સલમાને કપિલ શર્મા સાથે સમાધાન કરીને તેમને શોમાં પરત આવવા માટે સમજાવ્યા છે.

હકીકતમાં એવા અહેવાલો આવ્યા હતા કે કપિલ શર્મા અને ‘સુનીલ ગ્રોવર’ ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર, સુનીલ ગ્રોવરને શોમાં પાછા ફરવા માટે સલમાન ખાનનો કોઈ ફોન આવ્યો નથી.

સુનીલ ગ્રોવરના એક નજીકના સહાયકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અભિનેતાની તાજેતરની વેબ સીરીઝ માટે તેમને અનકરેજ કરવાને બદલે કપિલ શર્મા શોમાં જોડાવાની અફવાઓ ઉશ્કેરાઈ રહી છે. જોકે બંને આગામી સીઝનમાં સાથે પાછા ફરવાના સમાચાર એકદમ ખોટા છે. તમને જણાવી દઈએ કે કપિલના શોમાંથી બહાર નીકળ્યા બાદ સુનિલ ગ્રોવર તેની જિંદગીમાં ખુબ ખુશ છે અને તેણે હવે વેબ શો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે.

આ દિવસોમાં સુનીલ ગ્રોવર વેબ સિરીઝ ‘તાંડવ’માં તેના અભિનયના કારણે ચર્ચામાં છે. આ સિરીઝમાં સુનીલને શ્રેષ્ઠ અભિનય માટે પ્રેક્ષકોનો ઘણો પ્રેમ અને ટેકો મળ્યો છે. સુનીલનું આ રૂપ તેના ચાહકોને ખૂબ પસંદ આવ્યું છે. આ સિરીઝમાં સુનિલ સાથે ‘સૈફ અલી ખાન’, ‘ડિમ્પલ કાપડિયા’, ‘ઝીશાન આયુબ’, ‘ગૌહર ખાન’ સહિત ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago