સમાચાર

યુક્રેન નાટોમાં સામેલ થશે કે નહીં તેને લઈને આવ્યા મોટા સમાચાર

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા કહેવામાં આવ્યું છે કે, યુક્રેન નાટોમાં સામેલ થશે નહીં. રશિયાની ન્યૂઝ એજન્સી મુજબ, ઝેલેન્સકીનું કહેવું છે કે, યુક્રેનને એ હકીકત સ્વીકારવી જોઈએ કે, તે નાટોમાં સામેલ નહીં થાય.

બીજી તરફ યુક્રેન અને રશિયાની વાતચીતના બીજા રાઉન્ડ યોજવાની યોજનાએ રાજદ્વારી વાટાઘાટોનો માર્ગ ખુલી ગયો છે. જ્યારે રશિયન સેના દ્વારા યુક્રેનના ઘણા શહેરો પર હુમલો કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે, જેના કારણે માનવીય સંકટ વધી ગયું છે. મંગળવારના સુરજ બહાર નીકળવાના થોડા સમય પહેલા કીવ મોટા વિસ્ફોટોથી હચમચી ગયું હતું અને રશિયાએ ઘણા વિસ્તારો પર પોતાનો કબજો કરી લીધો છે. બીજી તરફ, રશિયન સૈન્ય દ્વારા ઘેરાયેલા મારિયુપોલ શહેરમાંથી 160 નાગરિક કારો દ્વારા નિયુક્ત માનવતાવાદી કોરિડોરમાંથી રવાના થયા હતા.

બંને દેશો વચ્ચે નવી વાતચીત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓના ચોથા રાઉન્ડની ચર્ચા છે. તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયન નેતાઓને જણાવ્યું છે કે, તેમના દેશ દ્વારા યુક્રેન પર કરવામાં આવેલ હુમલા તેમના પર જ ઉલટા પડશે અને આર્થિક પ્રતિબંધોના કારણે તેમના જ લોકો તેમનાથી નફરત કરશે. વોલોડીમિર ઝેલેન્સકીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે, “તમારા પર (રશિયા પર) યુદ્ધ અપરાધમાં તમારી સંડોવણી બદલ ચોક્કસપણે કેસ દાખલ કરવામાં આવશે.”

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago