રમત ગમત

ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો ઝટકો, વિરાટ કોહલી પ્રથમ મેચમાંથી થઈ શકે છે બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મંગળવારથી વન-ડે સીરીઝ રમાશે. આ સીરિઝ પહેલા જ ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. અનુભવી ખેલાડી વિરાટ કોહલી સ્નાયુ ખેંચાઈ ગયા હોવાના કારણે પ્રથમ વનડેમાંથી બહાર થઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ દરમિયાન કોહલીને તેની પીઠમાં સમસ્યા થઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI મેચ પહેલા સોમવારે યોજાયેલી પ્રેક્ટિસમાં પહોંચ્યો નહોતો. ત્રીજી મેચ દરમિયાન તેને પીઠમાં ઈજા થઈ હતી. આ કારણથી કોહલી કદાચ લંડનના ઓવલમાં રમાવનાર વનડેમાં નહીં રમે. સુત્રોના જણાવ્યા અનુસાર કોહલીનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ જાણી શકાશે.

ઉલ્લેખનીય છે કે, કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તેઓ લાંબા સમયથી સારું પ્રદર્શન કરી શક્યા નથી. T-20 સીરીઝની બીજી મેચમાં કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ત્રીજી મેચમાં તે 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કોહલી કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ અગાઉ આઈપીએલ 2022 માં તેના ખરાબ પ્રદર્શન માટે તેની આલોચના પણ થઈ હતી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago