કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની વાત કરીએ તો તે વર્ષ 2008 થી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ ટીવી સિરિયલમાં એક કરતા વધુ પાત્રો જોવા મળે છે. આજે અમે એવા જ એક પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હવે આ સિરિયલનો ભાગ નથી પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ ચાહકોમાં અકબંધ રહેલી છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ કે અભિનેત્રી દિશા વાકાણીની જે આ ટીવી સિરિયલમાં ‘દયા બેન’ ના રોલમાં જોવા મળી હતી. તેમ છતાં વર્ષ 2017 માં પ્રસૂતિ રજા પર ગયા બાદ દિશાએ આ સીરિયલમાં ફરીથી એન્ટ્રી લીધી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે, સીરિયલના મેકર્સે દ્વારા ઘણી વખત દિશાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમ છતાં અભિનેત્રીએ કમબેકમાં રસ દેખાડ્યો નથી. તેની સાથે સિરિયલના મેકર્સે તો ત્યાં સુધી કહ્યું છે કે, જો દિશા આ સિરિયલમાં પરત ફરવા માંગતી નથી તો આ સિરિયલ નવી દયા બેન સાથે આગળ વધશે.
તેમ છતાં જો સમાચારોનું માનીએ તો સીરિયલના મેકર્સને હજુ સુધી દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી. જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ થી ઘર-ઘરમાં ફેમસ થયેલી દિશા મજબૂત નેટવર્થની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, દિશાની નેટવર્થ લગભગ 37 કરોડ રૂપિયા છે. તેમાં ફિલ્મો-ટીવી સિરિયલો અને જાહેરાતો તેમજ અન્ય તમામ સ્ત્રોતોમાંથી થતી કમાણીનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે દિશા વાકાણી દેવદાસ, મંગલ પાંડે, જોધા અકબર અને લવ સ્ટોરી 2050 વગેરે સહિત ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…