જાણવા જેવું

તમારા આધાર નંબર સાથે કયો મોબાઈલ નંબર જોડાયેલો છે, જાણી લ્યો આ આસન રીતે ઘરેથી જ

શું તમે જાણો છો કે હવે તમે તમારા આધાર નંબર સાથે નોંધાયેલા તમામ મોબાઇલ ફોન નંબર ચકાસી શકો છો? જી હા. તમે ડોટ ની નવી વેબસાઇટ પરથી આ નંબરો ચકાસી શકો છો. ડોટે તાજેતરમાં એક પોર્ટલ ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન લોન્ચ કર્યું છે. 

આ પોર્ટલ દ્વારા વપરાશકર્તાઓ તેમના આધાર નંબર સાથે જોડાયેલા તમામ ફોન નંબર ચકાસી શકે છે. આ એક ખૂબ જ ઉપયોગી પોર્ટલ છે. આ વેબસાઇટ દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ પર અત્યાર સુધીમાં કેટલા સિમ આપવામાં આવ્યા છે. 

જો કોઈ પણ મોબાઈલ નંબર તમારી જાણ વગર તમારા આધાર નંબર સાથે જોડાયેલો હોય, તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા જૂના અને ન વપરાયેલા મોબાઈલ નંબરને તમારા આધારનંબર થી સરળતાથી અલગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે હાલમાં આ સેવા માત્ર આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વપરાશકર્તાઓ માટે છે. 

પરંતુ ટૂંક સમયમાં જ તેને દેશભરના વપરાશકર્તાઓ માટે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. તમારા આધારનંબર  સાથે જોડાયેલા મોબાઇલ નંબર વિશે જાણવા માટે તમારે પહેલા https://tafcop.dgtelecom.gov.in/ પર જવું પડશે. અહીં તમારે તમારો ફોન નંબર દાખલ કરવો પડશે. આ પછી તમારે Request OTP’ બટન પર ક્લિક કરવાનું રહેશે. 

આ પછી તમારે તમારા મોબાઇલ નંબર પર આવેલો OTP દાખલ કરવો પડશે. ત્યારબાદ તમારા આધાર નંબર સાથે જોડાયેલા તમામ નંબરો વેબસાઈટ પર દેખાશે. જ્યાં વપરાશકર્તાઓ એવા નંબરોની જાણ અને અવરોધિત કરી શકે છે જે ઉપયોગમાં નથી અથવા હવે જરૂર નથી. 

Team Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago