જ્યોતિષ

સૂર્યને અર્ઘ્ય અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાથી થસે એવું જે તમને જાણી ને આશ્ચ્રય થશે

આજે સૂર્યનું રાશિ પરિવર્તન એટલે સિંહ સંક્રાંતિ છે. સંક્રાંતિએ સૂર્ય પૂજાનું મહત્ત્વ વેદોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે. આ પર્વમાં સૂર્ય પૂજા સાથે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાનની પણ પરંપરા છે. આવું કરવાથી તીર્થ સ્નાન સમાન પુણ્ય મળે છે. સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને રૂપિયા અને અનાજનું દાન કરવું.

પરંતુ મહામારીના સંક્રમણથી બચવા માટે ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને પવિત્ર નદીઓ અને તીર્થોનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ. અથર્વવેદ અને સૂર્યોપનિષદમાં જણાવ્યા પ્રમાણે સૂર્ય પરમબ્રહ્મ છે. ગ્રંથોમાં જણાવ્યું છે કે પોષ મહિનામાં ભગવાન ભાસ્કર અગિયાર હજાર કિરણોની સાથે તપીને ઠંડીથી રાહત આપે છે.

તેનો વર્ણ રક્ત સમાન છે. શાસ્ત્રોમાં એશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યને જ ભગ કહેવામાં આવ્યો છે અને તેનાથી યુક્ત હોય તેને જ ભગવાન માનવામાં આવેલ છે. પોષ મહિનામાં સૂર્યને અર્ધ્ય આપવા તથા તેનું નિમિત્ત વ્રત કરવાનું પણ વિશેષ મહત્વ ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે. આ કારણ છે કે પૌષ મહિનામાં ભગ નામના સૂર્ય સાક્ષાત પરમબ્રહ્મનું જ સ્વરૂપ માનવામાં આવે છે.

પુરાણોમાં ભગવાન સૂર્ય, શિવ, વિષ્ણુ, ગણેશ અને દેવી દુર્ગાને પંચદેવ કહેવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દેવી-દેવતાઓની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થઇ જાય છે. આ 5 દેવોને નિત્ય દેવતા અને મનોકામના પૂર્ણ કરનાર પણ કહેવામાં આવે છે.

દરેક મહિનામાં જ્યારે સૂર્ય રાશિ બદલે છે ત્યારે તે દિવસ સંક્રાતિ પર્વ તરીકે ઊજવીને ભગવાન સૂર્યને વિશેષ પૂજા કરવામાં આવે છે. બ્રહ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યદેવ સર્વશ્રેષ્ઠ દેવતા છે. તેમની ઉપાસના કરનાર ભક્ત જે સામગ્રી તેમને ચઢાવે છે સૂર્યદેવ તેમને લાખ ગણું પાછું આપે છે.

સ્કંદ પુરાણ પ્રમાણે સૂર્યદેવને જળ ચઢાવ્યા વિના ભોજન કરવું પાપ મનાય છે. સૂર્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સંક્રાંતિ પર્વમાં સૂર્યને અર્ઘ્ય આપવું અને દાન કરવાથી દરેક પ્રકારની શારીરિક પરશાનીઓ દૂર થઇ જાય છે અને ઉંમર વધે છે.

Team Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago