સમાચાર

સુરત શહેરમાં બિઝનેસમેનના પુત્ર પુત્રીના લગ્નમાં આવેલા મહેમાનો પણ ચોંકી ઉઠ્યા, જાણો એવું તો શું થયું…..

આજના આધુનિક સમયમાં લગ્ન એટલા આધુનિક બનતા જાય છે કે લોકો એકબીજાની દેખાદેખી કરીને લાખો રૂપિયા ખર્ચ કરી નાખે છે. તેઓ દેવું કરીને પોતાનો વટ રાખવા માટે લગ્નમાં લાખો રૂપિયા વેડફી નાખે છે. જોકે આપણે ક્યારેય દેખાદેખી કરવી જોઈએ નહીં. આનું ઉત્તમ ઉદાહરણ સુરત શહેરના બિઝનેસમેન સવજીભાઈ વેકરીયા એ પૂરું પાડયું છે. હા, તેઓએ તેમના પુત્ર પુત્રીના લગ્ન એકદમ સાદગી સાથે કર્યા હતા અને લગ્નના કરિયાવરમાં પુત્રની ઊંચાઈ જેટલા પુસ્તકો આપ્યા હતા. આ સિવાય તેઓએ ઘણી સેવાભાવી સંસ્થાઓને 21 હજાર દાન પણ આપ્યું છે.

મૂળ અમરેલી ના રહેવાસી સવજીભાઈ વેકરીયાની આજે તેમના કામ કરવા બદલ જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. તેઓએ તેમના બાળકોના લગ્નમાં પણ ફક્ત નજીકના લોકોને જ આમંત્રિત કર્યા હતા.

લગ્નમાં કોઈપણ પ્રકારની વધારાની દેખાવો કરવા લાઈટિંગ કે ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. આ સિવાય દીકરાના તોરણ વખતે વહુના છાબમાં સોના ચાંદીના ઝવેરાત આપવામાં બદલે પુસ્તકો આપવામાં આવ્યા હતા. તેજ રીતે તેમની દીકરીની છાબમાં પણ પુસ્તકો આપવામાં આવ્યા હતા.

આ સિવાય સવજીભાઈ વેકરીયા એ સંદેશ આપ્યો હતો કે લગ્નમાં બીજાને જોઈને તેને નીચું દેખાડવા માટે વધુ ખર્ચા કરવા જોઈએ નહીં. આ કામમાં વરરાજા પણ સહભાગી થયા હતા અને નજીકની સ્કૂલમાં જઈને તેઓએ 125 છોડનું વિતરણ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે સવજીભાઈ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ છે. તેઓએ થોડાક સમય પહેલા તેમના ગામ રફાળાની કાયાપલટ કરીને ગોલ્ડન વિલેજ તરીકે નામના ધરાવવામાં ખાસ ફળો આપ્યો હતો.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago