Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ક્રાઇમસમાચાર

સુમને સુસાઈડ કરીને સમાજને માર્યો તમાચો સુસાઇડ નોટ માં એવું લખ્યું કે આખા સમાજ ને આવશે શરમ

આપના સમાજ ની અંદર આજે પણ ઘણા એવા કુરિવાજો જોવા મળે છે. જેના કારણે ઘણી બહેન દીકરીઓને હેરાન થવું પડે છે. વળી દહેજ જેવી પ્રથાઓના કારણે ઘણી દીકરીઓને તેનો જીવ આપી દેવો પડે છે. આવી ઍક ઘટના વિષે અમે તમને જણાવીએ છીએ. અત્યારે આવી ઘટનાઓ સોશિયલ મીડિયા માં અને સમાચાર માં વધારે સાંભળવા મળે છે.

હાલ આવી એક ઘટના રાજસ્થાનના નગોરમાથી સામે આવી છે. જયાનાં નવા ઉપખંડના હેમપુરા ગામમાં રહેવાવાળી સુમન ચોધારીએ કૂવામાં કૂદી ને પોતાનો જીવ આપી દીધો. 21 વર્ષીય સુમન ચોધરી પરણિત હતી. સુમન નાં આપઘાત  બાદ હવે આખા સમાજ માં તેના આપઘાત ની ચર્ચાઓ થઈ રહી છે.

સુમને તેના આપઘાત પાછળ આખા સમાજ ને પોતાની મોત નો જવાબદાર ગણાવ્યો છે. સુમને તેનું દુ:ખ બે પાનની સુસાઈડ નોટ માં જણાવ્યુ છે. હાલ સુમન ની એ સુસાઈડ નોટ સોશિ યલ મીડિયા માં ઘણી વાઇરલ થાય રહી છે.

મારુ નામ સુમન ચોધરી છે. મને ખબર છે આપઘાત કરવો એ ખોટી વાત છે. તે છતાં પણ હું સુસાઈડ કરવા માંગુ છુ. મારા મરવા પાછળ ની કારણ મારો પરિવાર નહીં પણ આખો સમાજ છે. જેમને આટા-સાટા નામની કૃપ્રથા ચાલુ રાખી છે. તેના કારણે દીકરીઓને જીવતાજીવ મોત મળે છે.

આ પ્રથામાં છોકરીઓને સમાજ સારા પરિવારો તેમના છોકરાનાં બદલામાં વેચી દે છે. સમાજ ની નજરે છૂટા છેડા લેવા ખોટા છે. પરિવાર વિરુધ લગ્ન કરવા ખોટા છે. તો પછી એ આટા સાટા પ્રથા ખોટી હોવી જોઈએ. આ પ્રથા નાં કારણે હજારો છોકરીઓના જીવન અને પરિવાર બરબાદ થયા છે. આ પ્રથાનાં કારણે ભણેલી-ગણેલી છોકરીઓના જીવન બરબાદ થયા છે.

આ પ્રથાનાં કારણે 17 વર્ષની છીકરીના લગ્ન 70 વર્ષના વૃદ્ધ સાથે કરી દેવામાં આવે છે. માત્ર પોતાના સ્વાર્થનાં કારણે આવું કરવામાં આવે છે. આ પ્રથાની સામે અવાજ ઉઠાવવો જોઈએ. મારા દરેક ભાઈ ને તેની બહેન ની રાખડી નાં સોંગદ. તે પોતાની બહેનનું જીવન ખરાબ કરીને પોતાનું ઘર નો વસાવે.

આજે આ પ્રથાનાં કારણે સમાજ ની વિચારસરણી ખૂબ ખરાબ થઈ ગઈ છે. આ પ્રથાની વિરુધ જાણકારી અખબારો, પુસ્તકો અને સોશિયલ મીડિયા માં આપવી જોઈએ જેથી હજારો છોકરીનાં જીવન બરબાદ નો થાય. જો મારા કારણે દસ છોકરીઓની જિંદગી ખરાબ થતાં બચી ગઈ તો હું વિચારીશ કે મારૂ જીવન કોઈનાં કામમાં આવી ગયું.

આ પ્રથાને બંધ કરી દો. મારા માર્યા બાદ કોઈ મારા પરિવાર પર આંગળી નાં ઉઠાવતા, કારણકે મારા મરવાનું કારણ આ સમાજ છે. સજા આપવી હોય તો આ સમાજને આપો. અને મારી ઇચ્છા એ છે કે મારી લાશને અગ્નિ મારો નાનો ભાઈ આપે બીજું કોઈ નહીં મારો પતિ પણ નહીં.

[quads id=1]

Related Articles

Back to top button