રાજકારણ

statue of equality: રાહુલ ગાંધીના આરોપ પર મોદીના મંત્રીએ કર્યો પલટવાર, કહ્યું- 8 વર્ષ પહેલા કોંગ્રેસની જ હતી સરકાર

statue of equality: રાહુલ ગાંધીના આરોપ પર મોદીના મંત્રીએ કર્યો પલટવાર, કહ્યું- 8 વર્ષ પહેલા કોંગ્રેસની જ હતી સરકાર

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ બુધવારે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ આઠ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે કોંગ્રેસ કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ સત્તામાં હતી.

રેડ્ડીએ કહ્યું, “ સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી એ એક ખાનગી આધ્યાત્મિક સંસ્થાનો એક પ્રોજેક્ટ છે, જેની કલ્પના 8 વર્ષ પહેલા કરવામાં આવી હતી. તે સમયે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં કોંગ્રેસ સત્તામાં હતી. પ્રતિમા માટે 100% ભંડોળ ખાનગી રીતે એકત્ર કરવામાં આવ્યું હતું. ભારત સરકારે આ માટે કોઈ આર્થિક મદદ કરી નથી. આ પ્રતિમા PMના આત્મનિર્ભર ભારતની હાકલ પહેલાની છે.

રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે, તેલંગાણામાં રામાનુજાચાર્યની 216 ફૂટની પ્રતિમા, જેને સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી તરીકે ઓળખવામાં આવે છે, તે ચીનમાં બનેલી છે. રાહુલ ગાંધીના આરોપો તે રિપોર્ટો પર આધારિત છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 5 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ 135 કરોડની પ્રતિમા ચીનની એસુન કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે.

સાંસ્કૃતિક મંત્રીએ તેમના ટ્વીટમાં વાયનાડના સંસદ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે “માત્ર તેમની પોતાની અજ્ઞાનતા અને છીછરીતાને છતી કરે છે”. તેમને કહ્યું “તથ્યો જાણ્યા વગર ગણગણાટ કરતા તે પોતાની જાતને ડુબાડતો રહે છે અને તેની પાર્ટીને ધૂળમાં ભેળવી દે છે.

પ્રતિમાના ઈતિહાસ વિશે વિગતવાર જણાવતા રેડ્ડીએ કહ્યું કે 12 મે, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન પહેલા તેની કલ્પના કરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી વિશે રાહુલ ગાંધીનો દાવો કથિત રીતે ઓગસ્ટ 2015માં એરસન કોર્પોરેશન અને ભારત વચ્ચેના કરાર પર આધારિત છે. રાહુલ ગાંધી દ્વારા ટાંકવામાં આવેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં તેનું મુખ્ય કામ કરવામાં આવ્યું હતું અને પ્રતિમાને 1,600 ટુકડાઓમાં ભારતમાં લાવવામાં આવી હતી. સ્થાપનામાં લગભગ 15 મહિનાનો સમય લાગ્યો. એક ભારતીય કંપનીએ પણ કોન્ટ્રાક્ટ માટે બોલી લગાવી હતી.

આનાથી રાહુલ ગાંધીના ચીનને લઈને પીએમ મોદી પર પ્રહાર મજબૂત હોય છે. સંસદમાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીનીઓ પાસે સ્પષ્ટ વિઝન છે કે તેઓ શું કરવા માંગે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ભારતે ચીન અને પાકિસ્તાનને નજીક આવવા દીધા છે, જે સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ રહી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago