અભિનેતા સોનુ સૂદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ લોકો તેમના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોના કારણે તે ચર્ચામાં આવી ગાય છે. વાસ્તવમાં આ વાયરલ વીડિયોમાં સોનુ સૂદ પોતે એક રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકની મદદ માટે આગળ આવ્યા અને તેને ખોળામાં લઈને હોસ્પિટલમાં પહોંચાડતા જોવા મળી રહ્યા છે. આ ઉમદા કામના કારણે અભિનેતા એક વખત ફરીથી માનવતાનું ઉદાહરણ રજૂ કરતા જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો પંજાબના મોગાનો છે.
આ વિડીયોને સોનુના ચેરિટી ફાઉન્ડેશન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “દરેક જીવન મહત્વ ધરાવે છે”. રિપોર્ટ મુજબ, આ ઘટના પંજાબના મોગાના ફ્લાયઓવર પર ઘટીહતી, ત્યાંથી સોનુ પસાર થઈ રહ્યો હતો. તેમને રોડની સાઈડમાં પડી રહેલી દુર્ઘટનાગ્રસ્ત કારને જોઈ તો તે યુવકની મદદ કરવાથી પોતાની જાતને રોકી શક્યા નહોતા અને તે પોતાના માણસોની સાથે યુવકને બચાવવામાં જોડાઈ ગયા હતા.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સોનુ કેટલાક લોકો સાથે મળીને બેભાન યુવકને કારમાંથી બહાર કાઢીને પોતાના ખોળામાં લઈને બીજી કારમાં શિફ્ટ કરતા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે બ્લેક ટી-શર્ટ અને ડેનિમમાં જોવા મળી રહ્યા છે. સોનુનો આ વીડિયો લોકો ખૂબ શેર કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, સોનુ સૂદ ઈજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ લઈ ગયા હતા. યુવકને હોસ્પિટલમાં સમયસર સારવાર આપવામાં આવી હતી અને હવે તેની હાલત સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદ બોલીવુડમાં પોતાની અભિનયની સાથે તે પોતાની ઉદારતા માટે જાણીતા છે. તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મસીહા કહેવાય છે. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારી દરમિયાન અનેક લોકોની મદદ કરવા માટે તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે. અભિનેતાના ચાહકો તેમને ‘રિયલ હીરો’ કહીને બોલાવે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…