દેશ

મહારાષ્ટ્રના પાલઘરમાં સાત વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત, આરોગ્ય વિભાગે આપી જાણકારી, જાણો શું છે તેના લક્ષણો….

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સાત વર્ષની એક બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત મળી આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. એક વર્ષ બાદ રાજ્યમાં ઝીકા વાયરસના ચેપનો એક કેસ સામે આવ્યો છે. જીવલેણ ઝીકા વાયરસથી સંક્રમિત થયેલી આ છોકરી મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં આશ્રમશાળા (આદિવાસી બાળકો માટેની રહેણાંક શાળા) માં રહે છે.

રાજ્યના આરોગ્ય દેખરેખ અધિકારી પ્રદીપ અવાટેએ જણાવ્યું હતું કે, “છોકરીને તાવ હતો, ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી. અમને તેનો રિપોર્ટ 12 જુલાઈના મળ્યો હતો, જેમાં તે ઝિકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેનામાં હવે આ રોગના કોઈ લક્ષણો નથી અને તે ઠીક છે.” તેમણે કહ્યું કે, ઝિકા વાયરસનો કેસ સામે આવવાના કારણે, દેખરેખ, મચ્છરજન્ય ચેપ અટકાવવા, સારવાર અને આરોગ્ય શિક્ષણના સંદર્ભમાં નિવારક અને અન્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ ઝિકા વાયરસના લક્ષણો
તાવ
સાંધાનો દુખાવો
માથાનો દુખાવો
સ્નાયુમાં દુખાવો
ઉલટી થવી

નોંધનીય છે કે આ અગાઉ જુલાઈ 2021 માં રાજ્યના પુણેમાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ઝીકા વાયરસ એડીસ એજીપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે અને તેના પરિણામ સ્વરૂપ રોગના લાક્ષણિક લક્ષણોમાં તાવ, શરીરમાં દુખાવો અને આંખના ચેપનો સમાવેશ થાય છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago