રશિયા અને યુક્રેન વચ્ચે સતત 31મા દિવસે યુદ્ધ ચાલુ છે. બંને દેશો એકબીજા સાથે સમાધાન કરવા તૈયાર નથી. ખાસ વાત એ છે કે રશિયન સેના દિવસેને દિવસે વધુ આક્રમક બની રહી છે. આ દરમિયાન રશિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં રશિયાએ સૌથી મોટું પગલું ભર્યું છે. રશિયાએ તેની પરમાણુ સબમરીનને ઉત્તર એટલાન્ટિક સમુદ્રમાં તૈનાત કરવાની સૂચના આપી છે. હકીકતમાં, હાલમાં રશિયાએ ચેતવણી આપી હતી કે, જો નાટો તેની મર્યાદા ઓળંગશે તો રશિયા યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનું ચૂકશે નહીં.
રશિયાએ એટલાન્ટિક સમુદ્રમાં પરમાણુ સબમરીન લોન્ચ કરી છે. આ સબમરીન સમુદ્રમાં પરિક્રમા કરીને પરત ફર્યા હતા. દરેક રશિયન સબમરીન 16 મિસાઇલોથી સજ્જ છે.
પરમાણુ હુમલાની ધમકીના એક દિવસ બાદ આ સબમરીનને દરિયામાં ઉતારવામાં આવી હતી. ત્યારથી પરમાણુ હુમલાનું જોખમ વધુ વધી ગયું છે.
રશિયાએ દાવો કર્યો છે કે તેની સૈન્ય કાર્યવાહીનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે અને તે પછી તેના સૈનિકો પૂર્વી યુક્રેનના ડોનબાસ વિસ્તારને સંપૂર્ણ મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
બીજી તરફ અમેરિકી પ્રમુખ જો બિડેન દક્ષિણપૂર્વ પોલેન્ડની યાત્રાએ ગયા હતા, જ્યાં તેમણે શરણાર્થીઓને મદદ કરતા અમેરિકન સૈનિકો અને સહાયતા કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.
3 માર્ચથી હાઈ એલર્ટ પરમાણુ હથિયારો
જણાવી દઈએ કે રશિયાએ 3 માર્ચથી પોતાના પરમાણુ હથિયારોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. જયારે, 22 માર્ચે, રશિયાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો નાટો સરહદ પાર કરશે તો રશિયા પરમાણુ હુમલો કરવાનું ચૂકશે નહીં.
રશિયાએ કહ્યું હતું કે જો તેને “અસ્તિત્વના જોખમ” નો સામનો કરવો પડશે તો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. આ વાત ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ દ્વારા કરવામાં આવી હતી.
રશિયા પાસે છે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો
જણાવી દઈએ કે રશિયા પાસે વિશ્વમાં પરમાણુ હથિયારોનો સૌથી મોટો કન્સાઈનમેન્ટ છે. આવી સ્થિતિમાં, જો યુદ્ધની મધ્યમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ વિનાશ આવનારા ઘણા વર્ષો સુધી ચાલુ રહેશે.
અમેરિકા-NATO કરી રહ્યા છે રશિયાને ઘેરવાની તૈયારી
બ્રસેલ્સમાં NATOની મહત્વની બેઠક થઈ. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ તેમાં ભાગ લીધો હતો. હકીકતમાં અમેરિકા અને NATO સતત રશિયાને ઘેરવાની તૈયારીમાં છે. પોલેન્ડના પ્રવાસમાં પણ બિડેને રશિયાને રોકવાના એજન્ડાની વાત કરી હતી.
ઝેલેન્સકી વાટાઘાટો કરવાની ઓફર
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ફરી એકવાર રશિયા સાથે યુદ્ધની વચ્ચે વાતચીતની ઓફર કરી છે. ઝેલેન્સકીએ કહ્યું કે સામાન્ય લોકોના હિત માટે આ યુદ્ધ બંધ કરવું જોઈએ. ઝેલેન્સકીએ NATO અને વિશ્વના અન્ય દેશોને પણ રશિયાને રોકવાની અપીલ કરી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…