બોલિવૂડ

ઋષિ કપૂરના જન્મદિવસ પર તેની દીકરી રિદ્ધિમા કપૂરે સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ, જોઈને લોકો થઈ રહ્યા છે ભાવુક

બોલિવૂડના દિવંગત અભિનેતા ઋષિ કપૂરના જન્મદિવસના ખાસ પ્રસંગે આજે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. 4 સપ્ટેમ્બર, 1952 ના રોજ મુંબઈમાં જન્મેલા, દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર ભલે આજે આપણી સાથે ન હોય, પરંતુ ઋષિ કપૂર તેમના દમદાર અભિનયને કારણે ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે.

ઋષિ કપૂરના જન્મદિવસ નિમિત્તે તેમની પુત્રી રિદ્ધિમા કપૂરે સોશિયલ મીડિયા પર પોતાના પિતાને યાદ કરતા બાળપણની તસવીર સાથે એક લાગણીસભર પોસ્ટ શેર કરી છે. આ તસવીરમાં ઋષિ કપૂર અને તેની દીકરી રિદ્ધિમા નજરે પડે છે.

રિદ્ધિમા કપૂર સાહનીએ તસવીરની સાથે પોસ્ટમાં લખ્યું, ‘પપ્પા, અમે તમને દરરોજ ઉજવીએ છીએ .. અમે તમને ખૂબ જ યાદ કરીએ છીએ અને તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. સ્વર્ગના ચમકતા તારા.. જન્મદિવસની શુભેચ્છાઓ..અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. ‘

બીજી બાજુ, નીતુ કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઋષિ કપૂરની ફિલ્મના એક દ્રશ્યની તસવીર શેર કરી છે. રિદ્ધિમા કપૂર સાહનીએ પણ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પિતા ઋષિ કપૂરની તસવીર શેર કરી છે જેમાં તેઓ પોતાની દીકરીને પ્રેમ કરતા જોવા મળે છે.

રિદ્ધિમા કપૂરની આ ભાવનાત્મક પોસ્ટ પર કમેંટ કરતા બોલિવૂડ સ્ટાર્સ તેમજ ચાહકો ઋષિ કપૂરને યાદ કરી રહ્યા છે. બોલિવૂડના રોમેન્ટિક હીરોની યાદીમાં સમાવિષ્ટ ઋષિ કપૂરને અભિનયની કળા વારસામાં મળી છે. ઋષિ કપૂરે ‘મેરા નામ જોકર’ થી પોતાની સફર શરૂ કરી હતી.

આ ફિલ્મમાં, ઋષિએ 14 વર્ષના છોકરાની ભૂમિકા ભજવી હતી. જે તેના શિક્ષકના પ્રેમમાં પડે છે. 1955 ની પ્રખ્યાત ફિલ્મ ‘શ્રી 420’ માં ઋષિ કપૂર બાળ કલાકાર તરીકે જોવા મળ્યા હતા. તે જ સમયે, ડિમ્પલ કાપડિયા સાથે અભિનેતા તરીકે શરૂ થયેલી નીતુ કપૂર સાથે ઋષિ કપૂરની જોડી પણ ભારે હિટ રહી હતી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago