મનોરંજન

બે વર્ષ બાદ કામ પર ફરત ફરેલ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર લખ્યો ખાસ મેસેજ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાનને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જયારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ ચર્ચામાં રહેલી રિયા ચક્રવર્તી ફરીથી બે વર્ષ બાદ કામ પર પરત ફરી છે. સુશાંત સિંહ રાજપૂતના અવસાન તપાસ દરમિયાન ડ્ર્ગ્સ કેસમાં ફસાયેલ રિયા ચક્રવર્તીએ હવે ફરીથી કામ શરૂ કરી દીધું છે.

અભિનેત્રી દ્વારા તેના માટે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને ચાહકોને આ અંગે જાણકારી આપી છે. રિયા ચક્રવર્તી દ્વારા વિડીયો શેર કરવાની સાથે એક કેપ્શનમાં શુભેચ્છકોનો આભાર પણ માનવામાં આવ્યો છે. આ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, કાલે મે 2 વર્ષ બાદ ફરી કામ શરૂ કર્યું છે. તે લોકોનો આભાર વ્યક્ત કરું છું જે મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા હતા. સૂર્ય હંમેશા પ્રકાશ જ આપે છે. તે ક્યારેય હાર માનતો નથી.

અભિનેત્રી દ્વારા શેર કરવામાં વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, રિયા ચક્રવર્તી સ્ક્રિપ્ટ વાંચતી અને રેકોર્ડિંગ કરતી દેખાઈ રહી છે. એવામાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, રિયા કોઈ રેડિયો ચેનલ સ્ટુડિયોમાં રહેલી છે. આ દરમિયાન તે હસતાં અને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. આ અગાઉ રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસે તેને યાદ કરીને વિડીયો પણ શેર કર્યો હતો. તેમાં બંને રિયા-સુશાંત જીમમાં દેખાઈ રહ્યા હતા.

નોંધનીય છે કે, સુશાંત સિંહ અવસાન બાદ બોલીવુડમાં ડ્રગ્સ રેકેટનો મોટો ખુલાસો થયો હતો. તે કેસમાં રિયા અને એના ભાઈની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી અને તેની સાથે તેમને જેલ ભેગા પણ કરવામાં આવ્યા હતા. આ કેસમાં ફસાયા બાદ અનેક અભિનેતા અને અભિનેત્રી તેના સપોર્ટમાં આવ્યા હતા.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago